સોનૂ સૂદ દરેક જરૂરીયાતમંદોને મદદ કરી રહ્યો છે. અત્યાર સુધી સોનૂ હજારોની સંખ્યામાં મજૂરોને ઘરે પહોંચાડી ચૂક્યો છે. હવે સોનૂ સૂદ એવા વ્યક્તિની મદદે આવ્યો છે જેની પત્ની વતનમાં ગુજરી ગઇ છે અને તેના અંતિમ સંસ્કાર માટે વારાણસી જવું છે.
સોનૂની માનવતા
તાત્કાલિક આપ્યો ટ્વિટનો જવાબ
એક વ્યક્તિએ ટ્વિટ કરીને સોનૂ સૂદને કહ્યું કે, મારા પાડોશી સિતારામજીની પત્નીનુ અવસાન વારાણસીમાં થયુ છે અને તેમના અંતિમસંસ્કાર માટે વારાણસી જવું છે. એ કુલ 3 લોકો છે, અમારી પાસે માત્ર તમે જ એક સહારો છો. અમારી મદદ કરો.
I am sorry for the loss. 🙏 will send him tomorrow. He will reach his home soon. God bless. https://t.co/s6cjHOq819
સોનૂ સૂદે આ ટ્વિટનો જવાબ આપતા કહ્યું હતુ કે, મને ખૂબ દુખ છે, તે જલ્દી જ પોતાના ઘરે પહોંચી જશે.
પ્રવાસીઓ માટે ભગવાન સમાન સોનૂ
સોનૂ સૂદને આજ સુધી માત્ર એક અભિનેતા તરીકે જ ઓળખતા હતા પરંતુ હવે તેમને લોકો મસિહા, ભગવાન, ફરિશ્તા તરીકે ઓળખવા લાગ્યા છે. કેટલાક લોકો તો સોનૂની પૂજા પણ કરવા લાગ્યા છે. સોશિયલ મિડીયા પર સોનૂનો આભાર માનતા થાકતા નથી. એક વિડીયોમાં વ્યક્તિ પોતાની માતાને મળ્યા બાદ આભાર વ્યક્ત કરી રહ્યો હતો અને તેણે સોનૂને ભગવાનનો દરજ્જો આપી દીધો છે.