આવતા વર્ષે ઉત્તરપ્રદેશ અને પંજાબ સહિતના ઘણા રાજ્યોમાં ચૂંટણી છે. 2024માં લોકસભા ચૂંટણી છે. આ બધુ જ જોતાં કોંગ્રેસ હાલ પાર્ટી પ્રેસિડેન્ટ બદલાવાના મૂડમાં છે.
પાર્ટીની કમાન સોનિયા ગાંધીના હાથમાં રહેશે
"વન મેન વન પોસ્ટ" ફોર્મ્યુલા પર કામ કરી રહી છે કોંગ્રેસ
અજય કુમાર લલ્લૂએ કોંગ્રેસ જીતશે તેવો દાવો કર્યો
પાર્ટીની કમાન સોનિયા ગાંધીના હાથમાં રહેશે
આવતા વર્ષે ઉત્તરપ્રદેશ અને પંજાબ સહિતના ઘણા રાજ્યોમાં ચૂંટણી છે. 2024માં લોકસભા ચૂંટણી છે. આ બધુ જ જોતાં કોંગ્રેસ હાલ પાર્ટી પ્રેસિડેન્ટ બદલાવાના મૂડમાં છે. લોકસભા ચૂંટણી સુધી આ પાર્ટીની કમાન અધ્યક્ષ સોનિયા ગાંધીના હાથમાં જ રહશે. પણ અમુક યુવા ચહેરાઓને પ્રમુખ પદ આપવામાં આવી શકે છે. આ બધી જ જાણકારી સૂત્રો દ્વારા મળી છે.
"વન મેન વન પોસ્ટ" ફોર્મ્યુલા પર કામ કરી રહી છે કોંગ્રેસ
પ્રાપ્ત જાણકારી અનુસાર, કોંગ્રેસ પણ "વન મેન વન પોસ્ટ" ફોર્મ્યુલા પર કામ કરી રહી છે. આ કારણે જ પાર્ટી લોકસભામાં પોતાનું નેતૃત્વ બદલી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટીમાં ચાર કાર્યકારી અધ્યક્ષની નિમણૂક કરવાની સંભાવના છે. આ મહત્વનો નિર્ણય લેવામાં રાહુલ ગાંધી અધ્યક્ષ સોનિયા ગાંધીની મદદ કરશે. ગુલાબ નબી આઝાદ, સચિન પાયલોટ, કુમારી શૈલેજા, મુકુલ વસનીક અને રમેશ ચૈનીથલા કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ પદ માટે સૌથી આગળ છે.
અજય કુમાર લલ્લૂએ કોંગ્રેસ જીતશે તેવો દાવો કર્યો
પણ આ ફેરબદલમાં પ્રિયંકા ગાંધીની ભૂમિકા પર કોઈ ભાર આપવામાં આવ્યો નથી. હાલ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની કમાન સંભાળી રાખી છે. આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં થનાર ચૂંટણીમાં પ્રિયંકાની ભૂમિકા પ્રદેશની ઘટનાઓની જાણકારી રાખવાની છે. ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂએ તો એવો દાવો કર્યો છે કે તેમની પાર્ટી આ વખતે જરૂરથી જીતવાની છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું છે કે પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં ઉત્તરપ્રદેશની અંદર વિકાસની ગંગા વહેશે.
2019માં લોકસભા ચૂંટણી વખતે પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશ માટે મોટી જવાબદારી આપવામાં આવી હતી. તે સમયે રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે તેમને લાંબા ગાળા માટે જવાબદારી આપવામાં આવી છે. સાથેજ તે સમયે રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધીને માત્ર 4 મહિના માટે જવાબદારી આપવામાં નથી આવી. ઉપરાંત રાહુલ ગાંધી એવો પણ દાવો પણ કરી ચૂક્યા છે કે 2022માં કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં જીતશે. જેથી તેમનો દાવો કેટલો સાચો પડે છે તે તો આવનારા સમયમાંજ ખબર પડશે.