કોંગ્રેસના પ્રેસિડેન્ટ સોનિયા ગાંધી દિલ્હી શહેર છોડીને જઈ રહ્યા છે તેવા અહેવાલ છે. આ માટેનું મુખ્ય કારણ દિલ્હીનું વાયુ પ્રદૂષણ છે.
આ જાણકારી કોંગ્રેસના આંતરિક સૂત્રો દ્વારા જાણવા મળી છે. સોનિયા ગાંધીને તેમના ડોક્ટર્સે તેમના છાતીના ઇન્ફેક્શનને ધ્યાનમાં રાખીને દિલ્હીના રજકણો ધરાવતી અને સ્મોગ વાળી હવાથી દૂર રહેવાની સલાહ આપી છે.
એવું માનવામાં આવે છે કે સોનિયા ગાંધી ગોવા અથવા તામિલનાડુ જેવી વધુ ઠંડક ન હોય તેવી જગ્યાએ શિફ્ટ થશે. તેમની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ જોડાઈ શકે છે. નોંધનીય છે કે તેઓને છાતીમાં ઇન્ફેક્શનના પગલે જુલાઈમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓએ તેમની તબિયતના પગલે 14થી 23 નવેમ્બરના સંસદના ચોમાસુ સત્રમાં પણ હાજરી આપી નહોતી.
કોંગ્રેસમાં હાલ આંતરિક વિવાદ તેની ચરમસીમાએ છે અને બિહાર અને અન્ય રાજ્યોમાં કોંગ્રેસના નબળા પ્રદર્શનથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પક્ષની હાઈ કમાન્ડમાં ફેરફાર કરવા માટે દબાણ કરી રહ્યા છે. કપિલ સિબ્બલ સહિતના સિનિયર નેતાઓએ કોંગ્રેસની લીડરશિપ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે.