છોટાઉેદપુરના નસવાડી તાલુકામાં પુત્રએજ પિતાની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમા 40 રૂપિયાની ઉધારી માટે પુત્રએ તેના પિતાને મોતને ઘાટ ઉતારી દીધા
પુત્રએ તેનાજ પતિની કરી હત્યા
40 રૂપિયાની ઉધારી માટે આપ્યો હત્યાને અંજામ
લોખંડની પાઈપ મારીને પિતાને ઉતાર્યો મોતને ઘાટ
છોટાઉદેપુરમાં આવેલ નસવાડી તાલુકાના દામણીયાઆંબા ગામે એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા સાંભળીને આપને નવાઈ લાગશે કે અહીયા એક પુત્રએજ તેના પિતાની હત્યા કરી છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ હત્યારા પુત્રને ઝડપી પાડ્યો છે.
બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું
બનાવની જો વિગતવાર વાત કરીએ તો પુત્રએ ગામની એક દુકાનમાં 40 રૂપિયા નહોતા ચુકવ્યા જેમાં પિતા ઘરની ખેતીમાંથી પકવેલ તુવેર લઈને જઈ રહ્યા. પિતા 40 રૂપિયાને બદલે તુવેર આપવા જઈ રહ્યા હતા તે સમયે પુત્રએ તેના પિતાને રોક્યા હતા. પરંતુ તે સમયે પિતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઈ અને તે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
લોખંડની પાઈપ મારીને કરી હત્યા
પિતા-પુત્ર વચ્ચે ચાલેલી બોલાચાલીએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે પુત્રએ તેના પિતાને લોંખડની પાઈપ મારી દીધી જેના કારણે પિતાનું ઘટના સ્થળેજ મોત થયું હતું. બાદમાં આ સમગ્ર મામલે મૃતકના મોટા દિકરાએ તેના નાના ભાઈ સામે ફરિયાદ નોંધાવી. જેથી પોલીસે પણ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હત્યારા પુત્રને ઝડપી પાડ્યો છે. જેને તેની કરતૂતને કારણે જેલના સળીયા ગણવનો વારો આવ્યો છે.
40 રૂપિયાની ઉધારી માટે હત્યા
ઉલ્લેખનીય છે કે આ હત્યાનો બનાવ માત્ર 40 રૂપિયાની ઉધારીને કારણે બન્યો છે. જેમા પિતા પુત્રની ઉધારીના રૂપિયાની જગ્યાએ ઘરની પકવેલી તુવેર વેચવા માટે જઈ રહ્યા હતા. તે સમયે પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થઈ અને પુત્રએ તેના પિતાની હત્યા કરી નાખી. જેથી આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.