આણંદમાં સાસુએ તીક્ષ્ણ હથિયાર વડે સાસુને રહેંસી નાંખી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી.
આણંદના લાભવેલ ગામે પૂર્વ જમાઇએ સાસુની કરી હત્યા.
તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા
પુત્રીના પ્રથમ લગ્ન બાદ મનમેળ ન થતા છુટાછેડા લીધા હતા
આણંદના લાભવેલ ગામે પૂર્વ જમાઇએ સાસુની હત્યા કરી છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે.
શું હતુ કારણ?
મૃતક સાસુની પુત્રીના પ્રથમ લગ્ન બાદ મનમેળ ન થતા છુટાછેડા થયા હતા. અને સાસુએ પુત્રીને બીજે પરણાવી દીધી હતી. પોતાની પૂર્વ પત્નીના બીજા લગ્નની વાત સાંભળીને પતિનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો અને તેણે ખુન્નસમાં આવી જઈને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
પોલીસ પહોંચી ઘટના સ્થળે
આ તમામ માલે પોલીસને જાણ થતા આણંદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ તો હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જમાઈનું માનવુ છે કે, સાસુએ જ દીકરીના બીજા લગ્ન કરાવ્યા હતા અને પોતાનાથી દૂર કરી હતી.