ભારતમાં કેટલીક જગ્યાએ રસોઈ બનાવવા માટે સૌરપ્લેટનો છૂટો છવાયો ઉપયોગ થતો હોય છે. પરંતુ પ્રથમ વાર બાંચા ગામ માટે આઈ આઈટી મુંબઈની ટીમે વિશેષ પ્રકારની સગડી તૈયાર કરી છે. હવે બાંચા ગામનાં લોકોને ચૂલો સળગાવવા માટે લાકડા કાપવા જવું નથી પડતું. કેમ કે ગામનાં દરેક ઘરમાં હવે સોલાર પ્લેટ પર જ રસોઈ બની રહી છે.
સૌરઊર્જા માનવજાત માટે કેટલી આશીર્વાદ રૂપ છે તેનાં સમયે સમયે ઉદાહરણો સામે આવતા હોય છે. ત્યારે હવે કુદરતનાં આ અખૂટ સ્રોતનો જો વપરાશ કરવામાં આવે તો માનવ જીવન કેટલું સરળ બની શકે છે તેનો ઉત્તમ દાખલો મધ્યપ્રદેશમાં જોવા મળ્યો છે. મધ્યપ્રદેશનાં બૈતુલ જિલ્લાનાં બાંચા ગામમાં કોઈ પણ ઘરમાં લાકડાથી સળગતો ચૂલો તો દૂરની વાત એલપીજી ગેસનો પણ વપરાશ કરવામાં આવતો નથી. કેમ કે આ ગામનાં તમામ 74 ઘરમાં સૌરઊર્જાથી સંચાલિત વિદ્યુત સગડીનો ઉપયોગ કરવામાં આવે છે. તો આદિવાસીઓ પર સૌરઉર્જાની ટેકનોલોજીએ કેવા વરસાવ્યાં છે આશીર્વાદ તે જોઈએ અહીં અહેવાલમાં.
જ્યાં હજુ શહેરી લોકોમાં સૌરઉર્જાનાં વપરાશ માટે પૂરતો ઉત્સાહ દાખવવામાં આવતો નથી ત્યાં મધ્યપ્રદેશનાં એક આદિવાસી ગામમાં દરેક ઘર સૌર ઉર્જાથી સજ્જ બન્યું છે. આ છે મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાનું બાંચા ગામ. જે દેશમાં પહેલું એવું ગામ બન્યું છે કે જ્યાં હવે ગામના દરેક ઘરમાં લાકડાના બળતણથી ચૂલો સળગતો નથી કે નથી એલપીજી સિલિન્ડરનો વપરાશ કરવામાં આવતો. ગામનાં દરેક 74 ઘરોમાં ફક્ત સૌરઊર્જાથી સંચાલિત ચૂલા પર રસોઈ પકવવામાં આવે છે.
ભારતમાં કેટલીક જગ્યાએ રસોઈ બનાવવા માટે સૌરપ્લેટનો છૂટો છવાયો ઉપયોગ થતો હોય છે. પરંતુ પ્રથમ વાર બાંચા ગામ માટે આઈ આઈટી મુંબઈની ટીમે વિશેષ પ્રકારની સગડી તૈયાર કરી છે. હવે બાંચા ગામનાં લોકોને ચૂલો સળગાવવા માટે લાકડા કાપવા જવું નથી પડતું. કેમ કે ગામનાં દરેક ઘરમાં હવે સોલાર પ્લેટ પર જ રસોઈ બની રહી છે. કેમ કે સરકારે ગામડાઓમાં સૌર ઊર્જાનો વપરાશ વધારવા માટે આ બાંચા ગામની પસંદગી કરીને આખા ગામમાં સૌરસગડીનાં વપરાશને પ્રોત્સાહન આપીને એક અલગ જ ઉદાહરણ રજૂ કર્યું છે.
આ ગામમાં ઘરે ઘરે સૌરઊર્જા સંચાલિત સગડી પૂરી પાડવા માટે આઈ.આઈ.ટી મુંબઈના વિદ્યાર્થીઓએ સૌર ઊર્જા ચાલિત ચૂલાનું મોડલ તૈયાર કર્યું હતું. ત્યારે બાદ આ મોડલનાં પ્રયોગ માટે દેશનાં કોઈ પણ એક ગામની પસંદગી કરવાની હતી. તે પછી આ મોડલના પ્રયોગ માટે ઘોડા ડોંગરી જિલ્લાના બાંચા ગામનો પ્રસ્તાવ મુકાયો હતો. તે પછી આ બાંચા ગામ પર પસંદગી ઊતારાઈ હતી. સપ્ટેમ્બર -2017માં પ્રોજેક્ટ મુજબ ગામમાં સૌર ઊર્જા લગાવવાનું શરૂ કરવામાં આવ્યું. ડિસેમ્બર-2018માં દરેક ઘરોમાં સૌરઊર્જા પ્લેટ, બેટરી અને સગડી સ્થાપિત કરવાનું કામ પૂરું કરવામાં આવ્યું.
આ ગામમાં લગાવવામાં આવેલા સોલાર પેનલથી બેટરીમાં એટલી વીજળી સંગ્રહિત થઈ શકે છે કે દિવસમાં 3 વખત રસોઈ બનાવી શકાય છે. સૌર ઊર્જા સંચાલિત સગડીની સોલર પ્લેટથી 800 વોલ્ટ વીજળીનું ઉત્પાદન થાય છે. તેમાં જોડવામાં આવેલી બેટરીમાં ત્રણ યૂનિટ વીજળીનો સંગ્રહિત થાય છે. આ સૌર સગડીથી પાંચ વ્યક્તિનું એક કુટુંબ દિવસમાં 3 વખત રસોઈ બનાવી શકે છે. દરેક ઘરમાં સોલાર સગડી વિનામૂલ્યે લગાવવામાં આવી છે.
આ સૌર સગડીનાં વપરાશથી ગામની મહિલાઓને હવે જંગલમાં બળતણ માટે કરવી પડતી રઝળપાટથી મુક્તિ મળી છે. એટલું જ નહીં ઘરમાં થતાં ધુમાડા અને કાળા થતાં વાસણને માંજવા માંથી પણ મુક્તિ મળી છે. તો સાથે બાળકોને પણ માતા-પિતા સાથે હવે લાકડાનું બળતણ વીણવા જવું પડતું નથી. જેનાં કારણે બાળકો સમયસર શાળાએ જઈ શકે છે અને અભ્યાસમાં પૂરતો સમય ફાળવી શકે છે.