આજે દેશભરમાં સૂર્ય ગ્રહણ જોવા મળશે. સવારે 10:03 મિનિટથી સૂર્યગ્રહણ જોવા મળશે. સવારથી લઇને બપોરના 2 વાગ્યા સુધી સૂર્ય ગ્રહણ નિહાળી શકાશે. દેશમાં જુદી જુદી જગ્યાએ જુદા સમયે ગ્રહણ જોવા મળશે. ગુજરાતમાં જુદા જુદા ભાગમાં ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ જોવા મળશે. તો અમદાવાદ, સુરત, રાજકોટ, પાટણ વગેરેમાં ગ્રહણ દેખાશે. અમદાવાદમાં સવારે 10:03 મિનિટે ગ્રહણ દેખાશે. જ્યારે સુરતમાં સવારે 10:02 મિનિટે, રાજકોટમાં 9:59 મિનિટે ગ્રહણ જોવા મળશે. તો સૂર્ય ગ્રહણને કારણે આજે બપોર સુધી દેશભરના તમામ મંદિર બંધ રહેશે.
આજે દેશભરમાં સૂર્ય ગ્રહણ જોવા મળશે
સવારે 10.03 મિનિટથી સૂર્ય ગ્રહણ નિહાળી શકાશે
સૂર્ય ગ્રહણને લઈને અંબાજી મંદિરમાં સમયમાં ફેરફાર
સૂર્યગ્રહણને કારણે બપોર સુધી દેશભરના તમામ મંદિર બંધ રહેશે. ગુજરાતના પણ મોટા મંદિર સોમનાથ, દ્વારકા સહિતના મંદિરો બંધ રહેશે. આ સૂર્યગ્રહણની વ્યાપક અસર થવાની પણ સંભાવના છે. જ્યોતિષાચાર્યોએ ભયંકર આફતોની શક્યતા વ્યક્ત કરી છે. સાથેજ બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને ખાસ તકેદારી રાખવા અપીલ કરાઈ છે. જ્યોતિષાચાર્યોએ ગ્રહણ દરમિયાન સતત શક્ય હોય તેટલા દેવી દેવાતાના જાપ કરવા કહ્યું છે.
સૂર્ય ગ્રહણને લઈને અંબાજી મંદિરમાં સમયમાં ફેરફાર
સૂર્ય ગ્રહણને લઈને અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આરતીમાં કોઇપણ ભક્તને પ્રવેશ નહીં અપાઇ. 20 જૂને સાંજે 8.15થી 21 જૂન 3.30 સુધી મંદિર બંધ રહેશે. 21 જૂને સાંજે 7:30થી 8:15 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લુ રહેશે. આજે સવારે મંગળા આરતી નહીં થાય. બપોરે રાજભોગ આરતી 3:30થી 4:00 સુધી થશે. સાંજે આરતી 7:00થી 7:30 વાગ્યા સુધી થશે.
સૂર્ય ગ્રહણ હોવાથી શામળાજી મંદિરના સમયમાં ફેરફાર
આજે સૂર્ય ગ્રહણને લઇ મંદિરોના સમયમાં ફેરફાર કરાયો છે. શામળાજી મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં શામળાજી મંદિર આજે સવારે 5 કલાકે ખુલશે અને મંગળા આરતી 5:45 કલાકે થશે. મંદિર સવારે 9 કલાકે બંધ થશે અને 9.45 કલાકે ખુલશે. ગુજરાતનું એક માત્ર મંદિર ગ્રહણ દરમિયાન દર્શન માટે ખુલ્લું રહેશે.