બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / વડોદરા / sokhda gadi vivad supporter Will hold a convention

વિવાદ / સોખડા ગાદી વિવાદ: હવે હરિભક્તો પણ બે જૂથમાં વહેંચાયા, 51 હજાર કાર્યકર્તાઓ કરવા જઇ રહ્યા છે આ કામ

Khyati

Last Updated: 03:13 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોખડા હરિધામ મંદિરમાં ગાદીને લઈને વિવાદ ચરમસીમા પર, સમર્થકો કાર્યકર્તાઓને લઇને ઉતરશે મેદાને

  • પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધસ્વામીનું જૂથ સામ-સામે
  • પ્રબોધસ્વામીના સમર્થકો યોજશે મહાસંમેલન
  • પ્રબોધસ્વામીને ગાદી પર બેસાડવા કરશે માગ

સોખડા સ્વામિનારાયણ મંદિરની ગાદીનો વિવાદ દિવસ જાય તેમ ઉગ્ર બની રહ્યો છે. સોખડા સ્વામિનારાયણ મંદિર આસ્થાને બદલે વિવાદનું કેન્દ્ર બની રહ્યું છે. હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ ગાદી ખાલી પડી હતી જે માટે પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના ગ્રુપમાં ખેંચતાણ થઇ રહી છે. ત્યારે હવે ફરી એકવાર ગાદીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રેમ સ્વરુપ સ્વામી અને પ્રબોધસ્વામીનું જૂથ સામ સામે આવી ગયુ છે.

પ્રબોધસ્વામીને ગાદીએ બેસાડવા માગ

પ્રેમ સ્વરુપ સ્વામી અને પ્રબોધસ્વામીનું જૂથ સામ સામે આવી ગયુ છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના ભક્તો પણ બે જૂથમાં વહેંચાઇ ગયા છે. ત્યારે પ્રબોધસ્વામીના સમર્થકો મેદાને ઉતરશે. સમર્થકો 51 હજાર કાર્યકર્તાઓનું મહાસંમેલન યોજશે. એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભગતજી પ્રદેશ વડોદરામાં આ મહાસંમેલન યોજાશે. 

જિલ્લા પોલીસ વડાને કરી ફરિયાદ 

ગાદી પર કોણ બેસશે તે તો હજુ કંઇ નક્કી થયુ નથી પરંતુ હવે સમર્થકો શક્તિ પ્રદર્શન યોજીને ગાદી પર બેસાડવા માટેની માગ કરશે. પ્રબોધસ્વામીના હરિભક્તો દ્વારા મહાસંમેલન યોજીને ગાદી પર બેસાડવાની માગ કરવામાં આવશે. તેઓનો આરોપ છે કે પ્રેમ સ્વરુપ સ્વામીના બાઉન્સરો દ્વારા કનડગત કરવામાં આવે છે. ત્યારે મહાસંમેલનને લઇને હરિભક્તોએ આ અંગે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરી.

 

શું છે સોખડા ગાદીનો વિવાદ ?

સોખડા સ્વામિનારાયણ મંદિરની ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે. જેમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના ગ્રુપમાં ખેંચતાણ થઇ રહી છે. હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ ગાદી ખાલી પડી હતી. પ્રબોધ સ્વામી ગ્રુપના સંતોને મંદિરના સફાઇ સેવક બનાવી દીધા છે. વહીવટ પર પ્રેમસ્વરૂપ સ્વામી જૂથનું શાસન છે. જેને લઇને હવે પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીના ગ્રુપમાં ખેંચતાણ ચાલી રહી છે. યોગી ડિવાઇન સોસાયટી હોદ્દેદારો પણ મામલો ઉકેલવામાં અસમર્થ રહ્યા. ગાદી મેળવવાનો ખેલ મંદિર ટ્રસ્ટની કરોડોની સંપત્તિ જવાબદાર છે. દેશ-વિદેશના હરિભક્તોના દાનથી સોખડા મંદિરનું નિર્માણ થયું છે. સંતોના બે જૂથની જેમ હરિભક્તો પણ બે જૂથમાં વહેંચાયા છે. સોખડા ગાદીનો ઉકેલ ક્યારે આવશે તે મોટો સવાલ છે. હરિપ્રસાદ સ્વામીની હયાતીમાં મંદિરના પગથીયા ઘસતા નેતાઓએ પણ રસ્તો બદલ્યો. એકપણ નેતા વિવાદ ઉકેલવામાં નથી લઈ રહ્યાં રસ. ગાદી મેળવવા 2 જૂથના શક્તિપ્રદર્શન કરી રહ્યા છે. વેબસાઇટ પરથી પ્રબોધ સ્વામીની તસવીરો હટાવી લેવાઇ છે. તો સુરત પાસે સંમેલનમાં 136 ઘર મંદિરમાં પ્રબોધ સ્વામીની મૂર્તિ મુકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ