મુંબઇ: કથિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અમિત શાહને રાહત મળી છે. મુંબઈ CBI કોર્ટે 9 આરોપીને આરોપમુક્ત કર્યા છે. તો 3 આરોપીઓને કોર્ટે સાંભળ્યા વિના આરોપમુક્ત કર્યા છે.
Special CBI Court: Govt machinery and prosecution put in a lot of effort 210 witnesses were brought but satisfactory evidence didn't come and witnesses turned hostile. No fault of prosecutor if witnesses don't speak https://t.co/BjjlLhZ0PY
જેમાં અમિત શાહ અભય ચૂડાસમા અને એન.કે. અમિનને આરોપમુક્ત કર્યા છે. ગુલાબચંદ કટારીયા અને અજય પટેલને પણ આરોપમુક્ત કર્યા છે. મહત્વનું છે કે કેસમાં 38 આરોપીઓ હતા. જેમાંથી 12ને CBI કોર્ટે આરોપમુક્ત કર્યા છે.
Sohrabuddin Sheikh case: Special CBI judge observed in his order that all the witnesses and proofs are not satisfactory to prove conspiracy and murder the court also observed that circumstantial evidence is not substantial #Mumbaipic.twitter.com/QNOtMVrZpU
આપને જણાવી દઇએ કે બહુર્ચિચત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં આજે CBIની વિશેષ કોર્ટ ચુકાદો આપ્યો હતો. 2005માં થયેલા કથિત સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટરના કારણે રાજકીય ગરમાવો આવ્યો હતો. ત્યારે હવે 13 વર્ષ બાદ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.
Sohrabuddin Sheikh case: All 22 accused acquitted by Special CBI Court in Mumbai due to lack of evidence pic.twitter.com/CSdFvx7f4w
ઉલ્લેખનીય છે કે આ કેસની છેલ્લી દલીલો 5 ડિસેમ્બરે પૂર્ણ થઈ હતી. ત્યારે CBIના વિશેષ ન્યાયાધીશ એસ.જે. શર્મા ચુકાદો સંભળાવ્યો હતો. આ કેસમાં કુલ 37 લોકોને આરોપી બનાવ્યા હતા. જેમાંથી 2014માં 16ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે સોહરાબુદ્દીન શેખ કથિત એન્કાઉન્ટર 2005માં થયું હતું અને તેની તપાસ ગુજરાતમાં ચાલી રહી હતી. જોકે સુપ્રીમ કોર્ટેના આદેશ બાદ 2012માં કેસની તપાસ મુંબઈ ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી અને આ મામલે આજે CBI કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો હતો.