બિહારના ગયામાં એક લગ્નની કંકોત્રી હાલમાં ખૂબ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ તેની ખૂબ ચર્ચાઓ ચાલી છે. આ કાર્ડમાં મહેમાનોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, લગ્નમાં દારૂ પીએ અથવા તો હથિયાર લઈને આવવાની મનાઈ છે.
બિહારના ગયામાં એક લગ્નની કંકોત્રી હાલમાં ખૂબ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ તેની ખૂબ ચર્ચાઓ ચાલી છે. આ કાર્ડમાં મહેમાનોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, લગ્નમાં દારૂ પીએ અથવા તો હથિયાર લઈને આવવાની મનાઈ છે. હકીકતમાં જિલ્લાના ગોવાલવીધા ફળિયામાં રહેલા ભોલા યાદવે જે એક સામાજિક કાર્યકર છે. તે પોતાની દિકરીના લગ્નના કાર્ડમાં દારૂ પીને આવતા લોકો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેને લઈને તે હાલમાં ચર્ચામાં છે.
શું છે આવું કરવા પાછળનું કારણ
આપને જણાવી દઈએ કે, 16 ફેબ્રુઆરી એટલે કે આજે તેમની દિકરીના લગ્ન છે. ત્યારે આવા સમયે તેમણે કાર્ડ પર જે સોશિયલ મેસેજ આપ્યો છે, તેના ચારેબાજૂ વખાણ થઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટ લખ્યું છે કે, લગ્નમાં દારૂ પીને અથવા તો હથિયાર લઈને આવવાની મનાઈ છે. રાજ્યમાં લાગૂ દારૂબંધીના કાયદાને ધ્યાનમાં રાખીને લોકોને દારૂ પીને નહીં આવવાની અપીલ કરવામાં આવી છે. આ સંબંધમાં તેમણે જણાવ્યું હતું કે, આ મારી પ્રથમ દિકરીના લગ્ન છે. મહેમાનોને ફોન પર પણ તેની જાણકારી સાથે સાથે નિમંત્રણ પત્ર પણ મોકલ્યું છે.
દારૂ પીવો અને હથિયાર લઈને આવવું તે કંઈ શાનની વાત નથી
તેમણે જણાવ્યું હતું કે, દહેજમુક્ત લગ્ન થઈ રહ્યા છે. તેથી જે અતિથિઓ પાસે લાયસન્સધારી હથિયાર છે, તે પોતાના વાહનમાં મુકીને આવી શકે છે. ભોલાના જણાવ્યા અનુસાર તે નીતિશ કુમારની દારૂબંધીથી ખૂબ જ પ્રભાવિત થયા છે. તેમનું કહેવુ છે કે, કોઈ પણ પ્રસંગમાં દારૂ પીવો અથવા નશામાં જવું તે યોગ્ય નથી. આ કોઈ શાનની વાત નથી. લગ્નમાં પારિવારીક માહોલ હોય છે. ત્યારે આવા સમયે હથિયારો લઈને આવવું તે પણ યોગ્ય નથી.