શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરે કહ્યું કે સોશિયલ મીડિયા ટ્રોલ્સ પર ધ્યાન ન આપવાની જરૂર છે, તથા તેઓએ પૂર્વ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, જેમણે વચન પૂર્ણ નથી કર્યા તેઓ આજે સત્તામાં નથી.
આદિત્ય ઠાકરે કહ્યું કે સોશિયલ મીડિયા ટ્રોલ્સ પર ધ્યાન ન આપવાની જરૂર
ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, જેમણે વચન પૂર્ણ નથી કર્યા તેઓ આજે સત્તામાં નથી
આદિત્ય ઠાકરે કહ્યું, વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે
નોંધનીય છે કે, આદિત્ય ઠાકરેના નિવેદન પહેલા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતાએ નાગરિકતા કાયદાને લઇને 15 ડિસેમ્બરે જામિયામાં પોલીસ કાર્યવાહી અને સેના પ્રમુખના નિવદેન પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ટિપ્પણી પર તેમની કડક ટીકા કરી હતી.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 15 ડિસેમ્બરે જામિયામાં પોલીસ કાર્યવાહીને 1919ના જલિયાંવાલા બાગ હત્યાકાંડની યાદ અપાવતી કાર્યવાહી કહી હતી. શિવસેનાએ કેન્દ્ર સરકારના નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કર્યો હતો.
નોંધનીય છે કે, ગત રવિવારે અમૃતાએ ટ્વિટર પર લખ્યું હતું કે, કોઇ માત્ર ઠાકરે સરનેમના કારણ ઠાકરે નથી બની જતું. તેમનો ઇશારો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર હતો. તેના પર શિવસૈનિક ભડકી ગયા. પિમ્પરીમાં શિવસેનાની મહિલા કાર્યકર્તાઓએ અમૃતાના ફોટો પર ચંપલ વરસાવ્યા.
આદિત્ય ઠાકરેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, સોશિયલ મીડિયા ટ્રોલને ધ્યાને ન લેવાની જરૂર છે અને વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે. જે લોકો વચન નથી નિભાવતા તેઓ હવે સત્તામાં નથી. અમે તેમની દુર્દશાને સમજીએ છીએ.