સોશિયલ મીડિયા ઉપર બોલીવુડના સિતારાઓ જ ચમકી શકે, સામાન્ય માણસોનું કોઈ ગજું નહિ. આ માન્યતા હવે સમાપ્ત થઇ ચુકી છે કારણ કે હવે મારા અને તમારા જેવા લોકો પણ બ્રાન્ડ્સની એડવર્ટીઝમેન્ટ કરીને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટીકટોક ઉપર છવાઈ શકે છે એટલું જ નહિ પૈસા પણ કમાઈ શકે છે.
2020માં સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સનું 20 અબજ ડોલરનું તોતિંગ માર્કેટ છે. ભારતમાં પણ આ માર્કેટ આશરે 7 થી 15 કરોડ ડોલર જેટલું છે.
સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ કોણ છે?
સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ એવા લોકો છે જેમના સોશિયલ મીડિયા ઉપર સારા એવા ફોલોઅર્સ હોય છે. આ લોકો અલગ અલગ કંપની સાથે પાર્ટનરશીપ કરીને તેમની પ્રોડક્ટ્સની પોતાના એકાઉન્ટથી એડવર્ટિઝ કરે છે.
ભારતની મોટા પ્રમાણની બ્રાન્ડ્ઝે આ વર્ષે આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ માટે 1 થી 10 લાખ રૂપિયા જેટલું બજેટ ફાળવ્યું છે.
ભારતની બ્રાન્ડ્સને જયારે એમ પૂછવામાં આવ્યું કે તેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સની શા માટે મદદ લઇ રહ્યા છે તો તેમણે આટલા મુખ્ય કારણો આપ્યા.
બ્રાન્ડની વિઝિબિલિટી વધારવા અર્થાત વધુ લોકોને એવી જાણ થાય આવી એક બ્રાન્ડ અથવા પ્રોડક્ટ બજારમાં મળે છે
પ્રોડક્ટ્સનો ડાયરેક્ટ સેલ એટલે કે સીધું વેચાણ વધારવા
ક્રિએટિવ માર્કેટિંગ કરવા માટે અર્થાત સર્જનાત્મક રીતે માર્કેટિંગ કરી શકાય તે માટે
ગ્રાહકો સાથે સીધો સંપર્ક થાય અને ગ્રાહકના વર્ગને ટકાવી શકાય
કઈ બ્રાન્ડ્ઝને સૌથી વધુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ ફેલાવી રહ્યા છે?
સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ સૌંદર્ય પ્રસાધનોનો સૌથી વધુ ફેલાવો કરે છે કારણકે એ પ્રકારના ઉત્પાદનો વાપરીને તેનો તરત રિવ્યુ આપી શકાય છે.
અલગ અલગ કંપનીઓના સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ વડે માર્કેટિંગ કરવાના જુદા જુદા ઉદ્દેશ હોય છે.જેમ કે Zomatoનો સોશિયલ મીડિયા માર્કેટિંગના હેતુ નવા ગ્રાહકો શોધવાનો છે, બાટાના હેતુ સારું કન્ટેન્ટ પીરસવાનો છે.
આ પ્રકારના ઉદ્દેશ માટે બ્રાન્ડ્ઝ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટિક્ટોક, શેરચેટ જેવી એપ્લિકેશન્સનો ઉપયોગ કરે છે.
કેવી રીતે લોકોના રિસ્પોન્સની નોંધ કરાય છે?
થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ ઇન્ડસ્ટ્રી ખુબ અવ્યવસ્થિત હતી. જયારે હવે ઇન્સ્ટાગ્રામ જેવી એપ્સ ઉપર કેટલા લોકોએ લિંક પર ક્લિક કરી તેનો રેકોર્ડ રાખી શકાય છે. આ ઉપરાંત કુપન કોડ સિસ્ટમ વાપરવામાં આવે છે જેના વડે યુઝર્સ પોતાનો ફર્સ્ટ પરચેઝ કરી શકે છે.
આ ઉપરાંત પોસ્ટ પરની લોકોની લાઇક્સ, કૉમેન્ટ્સ, શેર્સ વગેરે ઉપરથી પણ લોકોનો રિસ્પોન્સ જાણી શકાય છે.
કેવી રીતે બ્રાન્ડ્ઝ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સની પસંદગી કરે છે?
ભારતમાં પહેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સની પસંદગી ફક્ત તેમના ફોલોઅર્સની સંખ્યા પરથી થતી હતી. જો કે હમણાં એવું પરીક્ષણ બહાર આવ્યું છે કે ભારતના સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સના 1 કરોડ 60 લાખ ફેક ફોલોઅર્સ છે.
આ ઉપરાંત મોટા સેલિબ્રિટીઝ વધુ ચાર્જ લે છે. જેમ કે 4.5 કરોડ ફોલોઅર્સ સાથે વિરાટ કોહલી એક એડવર્ટિઝમેન્ટ પોસ્ટના એક કરોડથી વધુ રૂપિયા લે છે.
આવા સમયે બ્રાન્ડ્ઝે અલગ અલગ પરિબળો ધ્યાનમાં લેવા પડે છે જે કાંઈક આ મુજબ છે.