પંજાબના મોહાલીમાં હોમી ભાભા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે પંજાબના સીએમ માન પણ હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ મોહાલીમાં કેન્સર હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું
પંજાબના સીએમ ભગવંત માન પણ સ્ટેજ પર હાજર હતા
જનતાએ મોદી મોદીના નારા લગાવ્યા
પંજાબના મોહાલીમાં હોમી ભાભા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ધાટન દરમિયાન જ્યારે મંચ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બોલવાનું શરુ કર્યું તો, ભીડ જોર જોરથી મોદી-મોદીના નારા લગાવાનું શરુ કર્યું હતું. આ દરમિયાન ભગવંત માનના ભાષણ દરમિયાન બે ત્રણ વાર ત્યાં હાજર લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. પોતાના ભાષણ દરમિયાન ભગવંત માને પ્રધાનમંત્રીને અપીલ કરી છે અને યાદ અપાવ્યું છે કે, નીતિ આયોગની બેઠક દરમિયાન પંજાબ માટે તેમણે કેન્દ્ર પાસે ઘણી માગ કરી છે.
Speaking at inauguration of Homi Bhabha Cancer Hospital & Research Centre in Mohali, Punjab. https://t.co/llZovhQM5S
ભગવંત માને કહ્યું કે, તેમને આશા છે કે, આજે પ્રધાનમંત્રી ઘણા દિવસો બાદ પંજાબ આવ્યા છે અને આજે પંજાબ માટે મોટી જાહેરાત કરશે અને ગિફ્ટ આપીને જશે. પણ પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં એવી કોઈ પણ જાહેરાત કરી ન હીં. જ્યાં એક બાજૂ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને લોકલ લેવલ પર સ્વાસ્થ્ય સેવાઓ વધારવા માટે મોહલ્લા ક્લિનિક જેવી સુવિધાઓ આપવાની ભાષણમાં વાત કરી તો, પ્રધાનમંત્રીએ તેનાથી ઉલટ અતિ આધુનિક સુવિધા આપનારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજો દરેક જિલ્લામાં ખોલવાના ટાર્ગેટને આવનારા વર્ષોમાં નક્કી કરવાનું આહ્વાન કર્યું છે.
પીએમનો કાફલો રોકવા પર દુ:ખ વ્યક્ત કર્યું
સીએમ ભગવંત માને 5 જાન્યુઆરીના રોજ પંજાબના ફિરોઝપુરમાં પીએમ મોદીનો કાફલો રોકવાના મામલા પર ખેદ વ્યક્ત કરતા કહ્યું કે, હવે પંજાબમાં એવી સરકાર છે, જે માને છે કે પીએમ આપણા દેશનું સન્માન છે અને તેમનું પંજાબમાં સ્વાગત છે અને આવી ઘટનાઓ ફરી ક્યારેય નહીં થાય. કારણ કે પંજાબ પોતાના આતિથ્યભાવ માટે જાણીતુ છે.