શુક્રને જ્યોતિષમાં શુભ ગ્રહ માનવામાં આવે છે. શુક્ર અનુકૂળ હોય તો જીવનમાં પ્રેમ અને ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે. તો શુક્ર નબળો પડતા અસફળતા હાથ લાગે છે. 22 જાન્યુઆરીએ શુક્ર કુંભ રાશિમાં ગોચર કરવા જઇ રહ્યાં છે. શુક્રના ગોચરનો પ્રભાવ બધી રાશિઓ પર પડશે. આવો જાણીએ શુક્રના ગોચરથી કઈ રાશિઓને સારા પરિણામ પ્રાપ્ત થશે.
22 જાન્યુઆરીએ શુક્ર કુંભ રાશિમાં કરી રહ્યો છે ગોચર
શુક્રના ગોચરનો પ્રભાવ બધી રાશિઓ પર પડશે
જાણો, શુક્રના ગોચરથી કઈ રાશિઓને સારા પરિણામ મળશે
શુક્રના ગોચરથી કઈ રાશિઓને સારા પરિણામ મળશે
શુક્રનો આ ગોચર 22 જાન્યુઆરી 2023ને સાંજે 4 કલાકે 3 મિનિટ પર થશે. ત્યારબાદ શુક્ર દેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. તમારા જીવનને શુક્ર ઘણો વધારે પ્રભાવિત કરે છે. શુક્રના કારણે જીવનમાં ધન અને વૈભવ આવે છે. શુક્રનુ આ રાશિ પરિવર્તન કઈ રાશિના જાતકો માટે લકી સાબિત થશે.
મેષ
શુક્રનો આ ગોચર મેષ રાશિના જાતકો માટે સારો સાબિત થવાનો છે. ગોચર દરમ્યાન બિઝનેસમાં લાભ થઇ શકે છે. તો પરણિત જાતકોને આ ગોચરકાળ દરમ્યાન થોડુ સંભાળીને રહેવુ પડશે. જીવનસાથી સાથે કોઈ વાતને લઇને મતભેદ થઇ શકે છે. શુક્રના આ ગોચર દરમ્યાન કાર્યક્ષેત્રમાં પ્રગતિ થઇ શકે છે. ખર્ચા પર નિયંત્રણ રહેશે. આ ગોચર દરમ્યાન વિદ્યાર્થીઓનુ મન અભ્યાસથી ભટકી શકે છે.
વૃષભ
વૃષભ રાશિના જાતકોને આ ગોચરથી ઘણો લાભ થવાનો છે. મહેનતનુ ફળ સારું મળશે. આ ગોચરના પ્રભાવથી તમારો ભાગ્યોદય થશે. જો તમે આ સમયગાળામાં વધુ મહેનત કરી તો તમને તેના સારા પરિણામ મળશે. આ સમય તમારા માટે ઘણો સારો છે અને તેનો પૂરો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરો.
કન્યા
શુક્રના ગોચરથી તમને ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે. તમારા અટકેલા કામ પાર પડશે. જેનાથી આર્થિક લાભ થશે અને સામાજિક દાયરામાં પણ વધારો થશે. તમે આર્થિક રીતે તમારા નાના ભાઈ-બહેનોની મદદ કરી શકશો. આ સમયમાં તમે પોતાને ઘણી મજબૂત સ્થિતિમાં કેળવી શકશો. કોઈ પણ ધાર્મિક સ્થળ પર જવામાં તમને ખુશી થશે.
મકર
શુક્રનુ કુંભ રાશિમાં ગોચર કરવાથી મકર રાશિના જાતકોને લાભ થશે. આ ગોચરના પ્રભાવથી તમને સારા ફળ મળવાના છે. આ ગોચરના પ્રભાવથી તમારા માન-સન્માનમાં વધારો થશે. આ સમયગાળા દરમ્યાન તમને ધનલાભ થવાનો છે.
મીન
મીન રાશિ માટે આ ગોચર ધનલાભ કરાવવાનો છે. તમે જે પણ કામ કરશો તેના સારા પરિણામ તમને મળશે. અહંકારથી બચો અને પોતાની ભાવનાઓને નિયંત્રણમાં રાખો. જો કોઈને કોઈ વાત કહેવી છે તો સમજી વિચારીને બોલો. કોઈની સાથે કેવો વ્યવહાર કરવો છે આ અંગે વિચાર કરીને જ આચરણ કરો.