નવેમ્બર મહિનો શરૂ થઈ ચુક્યો છે. આ મહિનો ઘણા ગ્રહ પોતાની ચાલ બદલશે અને રાશિ પરિવર્તન કરશે. શુક્ર દેવ પણ નવેન્બરમાં રાશિ પરિવર્તન કરશે. ત્યાં જ 11 નવેમ્બરે તુલા રાશિથી વૃશ્ચિકમાં પરિવર્તન કરશે.
આ મહિને શુક્ર બદલશે રાશિ
જેનાથી 4 રાશિના લોકોને થશે નુકસાન
તેનાથી આ લોકોના જીવનમાં આવશે અશાંતિ
શુક્ર ગ્રહને સુખ, સમૃદ્ધિ, ધન અને આકર્ષણનો કારક માનવામાં આવે છે. તે વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે. નવેમ્બરમાં ઘણા ગ્રહ રાશિ પરિવર્તન કરશે. શુક્ર ગ્રહનું પણ રાશિપરિવર્તન થવા જઈ રહ્યું છે. તે 11 નવેમ્બરે તુલા રાશિથી વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો તેનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર પડે છે. એવામાં આજે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે તેના ગોચરનો કઈ રાશિઓ પર અશુભ પ્રભાવ પડશે.
તુલા
શુક્રનું આ ગોચર તુલા રાશિના લોકો માટે મુશ્કેલીઓ વધારનારૂ રહેશે. આ રાશિના લોકોની કુંડળીમાં શુક્ર બીજા ભાવમાં બિરાજમાન રહેશે જેના કારણે આર્થિક નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં રોકાણથી દૂર રહેવું જરૂરી છે.
મિથુન
શુક્રના રાશિ પરિવર્તનને કારણે મિથુન રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ દરમિયાન ઘણો ખર્ચ થશે જેના કારણે તેમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. નહીં તો તમારે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
વૃશ્ચિક
શુક્ર ગોચર કર્યા પછી તે વૃશ્ચિક રાશિની કુંડળીમાં પ્રથમ ભાવમાં રહેશે. આ કારણે આ રાશિના લોકોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. ખર્ચ વધુ થશે.
કર્ક
શુક્રનું રાશિ પરિવર્તન કર્કના જાતકોની કુંડળીમાં પાંચમાં ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે આ ગોચર શુભ નહીં રહે. ઘણી સમસ્યાઓ સામે આવશે. ખાસ કરીને વિવાહિત જીવનમાં કેટલાક મતભેદ થઈ શકે છે.