વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરૂ શ્રી જગ્ગી સદગુરૂ સેવ ધ સોઈલ-માટી બચાવો(SAVE SOIL) અભિયાન અંતર્ગત વિશ્વના 24 જેટલા દેશોમાં બાઈક પર એકલા ફરી માટી બચાવવાનો મેસેજ આપી રહ્યા છે. ત્યારે આજે સદગુરૂ જામનગરના રાજવી જામસાહેબના મહેમાન બનશે.
ઈશા ફાઉન્ડેશનના સદગુરૂ જગ્ગી વાસુદેવ સેવ ધ સોઈલ-માટી બચાવો(SAVE SOIL) કેમ્પેઇન ચલાવી રહ્યા છે. તેઓ 27 દેશમાં બાઈક રેલી કરી પરત ફરી રહ્યા છે. ત્યારે આજે(29 મે 2022) બપોરે 12.30 વાગ્યે સદગુરૂ જગ્ગી વાસુદેવ નવાબંદર જેટીથી પ્રવેશ કરી જામનગરમાં જામસાહેબના મહેમાન બનશે. જામ રાજવી જામસાહેબના દ્વારા તેમને આમંત્રણ અપાયું છે. જામસાહેબના આમંત્રણને લઈને સદગુરૂ જામનગરથી ભારત યાત્રાનું પ્રયાણ કરશે. જામનગરના ઈતિહાસમાં આ પહેલા બીજા વિશ્વ યુદ્ધ સમયે પોલેન્ડના શરણાર્થીઓને સીધા નવાબંદર જેટીથી જામનગરમાં પ્રવેશ મળેલો. આ બન્ને વખત જામસાહેબના આમંત્રણથી જ મહેમાનો નવાબંદર જેટીથી જામનગરની એન્ટ્રી મળેલી. ઉલ્લેખનીય છે કે જામનગર બંદર પર રાજવી પ્રતિનિધિ સહિત આગેવાનો સદગુરૂ જગ્ગી વાસુદેવનું સ્વાગત કરશે. જામનગરમાં સદગુરુના આગમનને લઈ તમામ તૈયારીઓ થઇ ચૂકી છે.
આ પહેલા પોલેન્ડના શરણાર્થીઓને સીધા નવાબંદર જેટીથી જામનગરમાં પ્રવેશ મળેલો
દ્વિતીય વિશ્વયુધ્ધ સમયે જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું હતું, તે સમયે પોલેન્ડના 200 શરણાર્થીઓ દેશ-દેશ ભટકતા હતા તે સમયે દરેક દેશ તેઓની ખોરાક અને દવા દારૂની મદદ કરવા તૈયાર હતા પરંતુ કોઇપણ દેશ તેમને શરણ આપવા તૈયાર ન હતા. આ પરિસ્થિતી જોઇને જામસાહેબ દિગ્વિજયસિંહજીએ દરિયાદીલી બતાવી હતી અને તેઓ ઇમ્પેરીયલ વોલ કેબિનેટના સભ્ય પણ હતા. તેમણે જામનગરના બંદરમાં પોલિશ નાગરિકોનું સ્વાગત કરી અને માત્રશરણ જ નહીં પરંતુ તેમના ભણતરથી લઇને તમામ જરૂરિયાતો પૂર્ણ કરી હતી. આવો સોનેરી ઇતિહાસ ધરાવતા જામસાહેબના નામની શપથ આજે પણ પોલેન્ડના સાંસદમાં લેવાઇ રહી છે. ત્યારે સદગુરુના આગમન માટે જામનગર પોર્ટ પર ખાસ પરમિશન લેવામાં આવી છે. આજે સદગુરુને પાઠવેલ આમંત્રણથી ઇતિહાસનું ફરી પુનરાવર્તન થશે કે રાજવી પરિવાર દ્વારા ફરી એકવખત જામનગર બંદર પર સ્પેશિયલ પરમિશનથી જામસાહેબના મહેમાન સદગુરુનું આગમન થશે.
જાણો સદગુરૂ જગ્ગી વાસુદેવનો શું છે સમગ્ર કાર્યક્રમ
જામસાહેબના પ્રતિનિધિએ સદગુરૂના કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સદગુરૂ જગ્ગી વાસુદેવ આજે લંડનથી લગભગ 27 દેશોમાં સેવ સોઇલ કાર્યક્રમ અંતર્ગત તેમની મુહિમ ચાલી રહી છે. 30 હજાર કિલોમીટર સર કરીને ભારતના આંગણે 29 મે 2022ના રોજ પધારશે. ત્યારે જામનગરના રાજવી પરિવારના જામસાહેબે તેમને આમંત્રણ પાઠવ્યું છે. તેઓ આપણા મહેમાન બનીને અહીં આવશે. લંડનથી તેમણે સફર કરીને 27 દેશોમાં તેઓ પોલિસીને ઇન્ફ્લુએન્સ કરતા, દેશોના વડાને મળીને, MoU સાઇન કરીને તેઓ ભારત પહોંચશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ભારતની આઝાદીનો 75માં અમૃત મહોત્સવ છે. ત્યારે તેઓ ભારત પધારે ત્યારે તેમને ભારતના હીરો તરીકે આપણે તેમને બીરદાવીએ. 65 વર્ષની ઉંમરે પણ સેવ સોઇલ માટે જાગૃત કરતા સદગુરૂનું ભવ્ય સ્વાગત કરીએ. રોજીથી કસ્ટમ સિમિગ્રેશન કરીને જામનગરના પોલિટિકલ, આધ્યાત્મિક ગણ, ગુરૂજન સૌ તેમનું સ્વાગત કરશે. ત્યાંથી કાફલો શરૂ થશે અને INS વાલસૂરામાં તેમનું સ્વાગત્ થશે. ત્યાંથી જામસાહેબ બાપુના બંગલે તેમની મિટિંગ થશે. મિંટિંગ બાદ પ્રતાપવિલા પેલેસ પર નાઇટ રેસ્ટ છે ત્યાં તેઓ પધારશે. સાડા ચાર આસપાસ તેમની મીડિયા કોન્ફરન્સ થશે. સાડા ચારથી પાંચ વચ્ચે બ્લોગર્સ, વ્લોગર્સ, પ્રિન્ટ મિડિયા અને સોશિયલ મીડિયાના અગ્રેતા સાથે ચર્ચા-વિચારણા કરશે. 5 વાગે ડી.કે.વી સર્કલથી તેમની સેવ સોઈલ યાત્રા શરૂ કરશે. યાત્રા દરમિયાન જનતાને મળશે. વિરલબાગ સુધી યાત્રા પહોંચશે. પેલેસથી શરૂ કરીને સત્યસાંઇ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં નેશનલ એવોર્ડ વિનર નેટિવ ડાન્સર દ્વારા કલાકૃતિ રજૂ કરવામાં આવશે. સદગુરૂ સત્યસાંઈથી ફરીને દર્શન આપીને પેલેસમાં પોતાની ફોર્મલ એન્ટ્રી લેશે. ત્યાં તેમની આરતી થશે. બાદમાં કલાકૃતિનું એક્ઝિબિશન ગોઠવાયું છે. કચ્છ અને હાલારના બધા જ કારીગરો સેવધી વીવ મૂમેન્ટ બતાવશે.
25 દિવસમાં 9 રાજ્યોનો પ્રવાસ કરશે
સદગુરૂ પોતાની 24 દેશોની 30,000 કિમીની. માટી બચાવો યાત્રાને ગુજરાતથી પ્રારંભ કરવા જઈ રહ્યા છે. ભારતીય નૌસેના દ્વારા તેમનું જામનગર પોર્ટ ખાતે 29 મેના રોજ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જ્યારે તેઓ જામનગર ખાતે પ્રતાપ વિલાસ પેલેસમાં રવિવારે સાંજે 5.30 કલાકે માટી બચાવો અભિયાન વિશે સંબોધન કરશે. જામસાહેબ દ્વારા પેલેસમાં સ્વાગત કરાશે અને સમગ્ર કાર્યક્રમનું આયોજન આવ્યું છે. ગુજરાતના જામનગર પહોંચશે અને 25 દિવસમાં 9 રાજ્યોનો પ્રવાસ કરશે. માટી બચાવો અભિયાન યાત્રા કાવેરી નદીના તટપ્રદેશમાં પુરો થશે. અહીં સદગુરુએ કાવેરી કૉલિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ 1 લાખ 25 હજાર ખેડૂતોએ માટી અને કાવેરી નદીને પુનર્જીવિત કરવા માટે 62 મિલિયન વૃક્ષો વાવ્યા છે.
શું છે સેવ આવર સોઈલ - માટી બચાવો અભિયાન ?
આધ્યાત્મિક ગુરૂ શ્રી સદગુરૂ આ દિવસોમાં માટી બચાવવા માટે એકલા બાઈક પર પ્રવાસ કરી રહ્યા છે. યાત્રાના 70માં દિવસે તેઓ 29મી મેના રોજ ગુજરાતના જામનગર પહોંચશે. આ મુલાકાતનો હેતુ ભૂમિ સંરક્ષણની જરૂરિયાત અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. સદગુરૂએ કહ્યું કે માટી વાસ્તવમાં આ પૃથ્વી પરની જૈવવિવિધતાની માતા છે. સમૃદ્ધ માટી વિના, જૈવવિવિધતાની કોઈ શક્યતા નથી. તે ગર્ભ છે જે આ ગ્રહ પર જીવનને જન્મ આપે છે. ચાલો જાણીએ માટી સંબંધિત 15 મહત્વપૂર્ણ તથ્યો વિશે. જે દરેકને જાણવું જોઈએ.
ઓછામાં ઓછો 95 ટકા ખોરાક આપણે ખાઈએ છીએ તે માટીમાંથી આવે છે.
છ ઇંચ જમીનમાં એક ટકા કાર્બનિક દ્રવ્ય વધારવાથી એકર દીઠ 20,000 ગેલન વધુ પાણી મળે છે.
માટીનું ધોવાણ સમગ્ર વિશ્વમાં 3.2 અબજ લોકોને નકારાત્મક અસર કરે છે.
એક ગ્રામ સ્વસ્થ માટીમાં 100 મિલિયનથી 1 અબજ બેક્ટેરિયા અને 100,000 થી 1 મિલિયન ફૂગ મળી શકે છે, જે છોડના વિકાસ અને આરોગ્ય માટે ફાયદાકારક છે.
એવું અનુમાન છે કે, 2050 સુધીમાં, પૃથ્વીની 90 ટકા જમીન ખરાબ થઈ શકે છે.
જમીનમાં જૈવિક સામગ્રી 0.5 થી 3 ટકા વધારવાથી જમીન દ્વારા જળવાઈ રહેલું પાણી બમણું થશે.
જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થવાને કારણે વનસ્પતિની ઉત્પાદકતામાં 20 ટકાનો ઘટાડો થયો છે.
ખોરાક અને જમીનમાં પોષક તત્વોની અછતને કારણે, વિશ્ર્વની 60 ટકા વસ્તીમાં આયર્ન જેવા પોષક તત્વોની ઉણપ છે.
એક ચમચી માટીમાં વિશ્વના લોકો કરતા વધુ જીવંત જીવો હોય છે. તંદુરસ્ત માટીના એક ચમચીમાં અંદાજે 10,000-50,000 સૂક્ષ્મ જીવોની પ્રજાતિઓ હોય છે.
વિશ્વની તમામ ટોચની માટી 60 વર્ષમાં ખતમ થઈ શકે છે. વિશ્વભરમાં દર વર્ષે લગભગ 12 મિલિયન હેક્ટર ટોચની જમીન નષ્ટ થાય છે. તે લગભગ સમગ્ર ગ્રીસ રાષ્ટ્રનું કદ છે.
વિશ્વની 90% ખેતી માટે માટી પાણીનો સ્ત્રોત છે. પરંતુ 52 ટકા ખેતીની જમીન પહેલેથી જ ખતમ થઈ ગઈ છે.
ઘણી વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી એન્ટિબાયોટિક્સ માટીના સૂક્ષ્મજીવાણુઓમાંથી ઉદ્દભવે છે. વિશ્વની પ્રથમ એન્ટિબાયોટિક પેનિસિલિન સહિત.
અળસિયાની હાજરી ઉપજમાં 43-350 ટકા વધારો કરી શકે છે.
જો જમીનમાં કાર્બન માત્ર 0.4% વધી જાય તો ખાદ્ય ઉત્પાદન દર વર્ષે 1.3% વધી શકે.
યુએનના અંદાજો અનુસાર, માટીનું પુનજીર્વિત થવાથી વાર્ષિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં 25-35 ટકાનો ઘટાડો થઈ શકે છે.
માટી બચાવવા સદગુરૂ જગ્ગી વાસુદેવની મહેનત રંગ લાવી
સદગુરુ જગ્ગી વાસુદેવે માર્ચ મહિનામાં 100 દિવસની 30,000 કિલોમીટરની મોટરસાઈકલ યાત્રા ‘જર્ની ટુ સેવ સોઈલ’ની શરૂઆત કરી હતી. સદગુરુએ તેમની મોટરસાઈકલ યાત્રાનું અડધું અંતર કાપ્યું છે. છેલ્લા 50 દિવસોમાં, સદગુરુએ મોટાભાગના યુરોપ, મધ્ય એશિયાના ભાગો તેમજ મધ્ય પૂર્વના ભાગોમાં પ્રવાસ કર્યો છે, માટી બચાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.તેમણે કહ્યું હતું કે, 52 ટકા ખેતીલાયક જમીન ખરાબ થઇ ગઈ છે. વિશ્વમાં માટી સંકટ પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. તેમની મુલાકાત દરમિયાન સદગુરૂ દરેક દેશના રાજકારણીઓ, માટી નિષ્ણાંતો, નાગરિકો, મીડિયા વ્યક્તિઓ અને પ્રભાવકોને મળ્યા છે. આ બેઠક દરમિયાન સદગુરૂ જમીનની કટોકટીનો સામનો કરવાની તાત્કાલિક જરૂરિયાત વિશે જાગૃત કર્યા છે.
After 70 days on the road, @SadhguruJV will arrive at Jamnagar, Gujarat for the final leg of the #SaveSoil journey in India. Join us in welcoming Sadhguru on 29 May!
Register to Attend In Person: https://t.co/ktxAfVgIMD > Events Finder > Stand For Soil > Jamnagar pic.twitter.com/KvqV04N9s6
— Conscious Planet #SaveSoil (@cpsavesoil) May 24, 2022
માટી બચાવવા માટે 21 જૂન સુધી દેશમાં કરશે પ્રવાસ
માટી બચાવો અભિયાનથી બે અબજથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને 72 દેશો માટી બચાવવા માટે કામ કરવા સંમત થયા છે. સદગુરુએ કહ્યું, “માટી આપણી મિલકત નથી, તે એક વારસો છે જે અગાઉની પેઢીઓથી આપણી પાસે આવી છે. આપણે તેને જીવંત માટીના રૂપમાં આવનારી પેઢીઓને આપવી જોઈએ.” હાલમાં સદગુરુ મધ્ય પૂર્વમાં છે. સદગુરુ મેના અંતમાં ભારત પહોંચશે અને 21 જૂન સુધી દેશમાં પ્રવાસ કરશે.
‘માટી બચાવો અભિયાન’ના સમર્થનમાં આવી ઘણી મોટી હસ્તીઓ
‘Save Soil Movement’ની શરૂઆત ગયા મહિને ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા કરવામાં આવી હતી. તેમના અભિયાનને ઘણી મોટી હસ્તીઓનું સમર્થન મળી રહ્યું છે. જેમાં સિંગર્સ, ખેલાડીઓ અને બોલિવૂડના ઘણા લોકો સામેલ છે. બોલિવૂડ સેલિબ્રિટીમાં કંગના રનૌત, આર માધવન, અનુપમ ખેર જેવા કલાકારોનો સમાવેશ થાય છે. બીજી તરફ જો ખેલાડીઓની વાત કરીએ તો હરભજન સિંહ, મેથ્યુ હેડન, વિવિયન રિચર્ડ્સ અને એબી ડી વિલિયર્સ જેવા ક્રિકેટરો પણ માટીના વિનાશ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને ‘માટી બચાવો’ના સમર્થનમાં આગળ આવ્યા છે.