બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / સ્પોર્ટસ / Cricket / shreyas iyer first indian to score 3 consecutive 50 plus scores at home t20i series

ગૌરવ પ્રાપ્ત / શ્રેયસ ઐયરે રચ્યો ઈતિહાસ, ભારતીય ધરતી પર T20માં આ સિદ્ધી પ્રાપ્ત કરનારા બન્યાં પ્રથમ બેટ્સમેન

Premal

Last Updated: 02:13 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રેયસ ઐયરે શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 શ્રેણીમાં પોતાની બેટિંગથી સૌ કોઈનુ દિલ જીતી લીધુ. ધર્મશાળામાં રમાયેલી ત્રીજી મેચમાં પણ તેણે અર્ધસદી ફટકારી હતી અને ભારતીય ટીમની જીતનો મુખ્ય આધાર સાબિત થયો.

  • ભારતીય ધરતી પર શ્રેયસ ઐયરે રચ્યો ઈતિહાસ
  • શ્રેયસ ઐયરને શાનદાર બેટીંગ માટે પ્લેયર ઑફ ધ સિરીઝ પસંદ કરાયો
  • શ્રેયસ ઐયર પહેલા કોઈ પણ બેટ્સમેને 50 પ્લસ સ્કોર બનાવ્યો નથી

શ્રેયસ ઐયરે રચ્યો ઈતિહાસ

શ્રેયસ ઐયરને આ શ્રેણીમાં વિરાટ કોહલીની જગ્યાએ એટલેકે ત્રીજા નંબરે અજમાવવામાં આવ્યો હતો અને તેમણે પોતાની બેટીંગથી ભારતીય ટીમને આ શ્રેણીમાં જીત અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી. તેણે સતત ત્રણ મેચોમાં નોટઆઉટ રહીને ત્રણ અર્ધસદી ફટકારી અને આખી સીરીઝ દરમ્યાન તેની શાનદાર બેટીંગ માટે તેને પ્લેયર ઑફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યો. ભારતીય ધરતી પર ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સતત ત્રણ મેચોમાં શ્રેયસ ઐયર પહેલા કોઈ પણ બેટ્સમેને 50 પ્લસ સ્કોર બનાવ્યો નથી. પરંતુ ઐયરે આ કમાલ કરી દીધી અને ઈતિહાસ રચી નાખ્યો. તેણે ભારતીય ટીમ તરફથી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણ મેચોની ટી-20 શ્રેણીની ત્રણ મેચોમાં સતત 50 પ્લસની ઈનિંગ રમનારા પ્રથમ બેટ્સમેન બનવાનુ ગૌરવ પ્રાપ્ત કર્યુ.  

ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં શ્રીલંકા 3-0થી ક્લીન સ્વીપ

શ્રીલંકા સામે ત્રણ મેચની ટી-20 શ્રેણીની પહેલી મેચમાં લખનઉમાં શ્રેયસ ઐયરે અણનમ 57 રનની ઈનિંગ રમી હતી અને આ મેચમાં ભારતીય ટીમને 62 રનથી જીત મળી હતી. બીજી મેચમાં ધર્મશાળામાં તેમણે અણનમ 74 રનની ઈનિંગ રમી અને આ મેચમાં ભારતીય ટીમનો 7 રનથી વિજય થયો હતો. તો ત્રીજી મેચમાં તેમણે 45 બોલનો સામનો કરીને એક છગ્ગો અને 9 ચોગ્ગાની મદદથી અણનમ 73 રનની ઈનિંગ રમી. શ્રેયસ ઐયરની આ ઈનિંગના કારણે ભારતીય ટીમને ત્રીજી મેચમાં 6 વિકેટથી જીત મળી અને ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની ટી-20 શ્રેણીમાં શ્રીલંકાને 3-0થી ક્લીન સ્વીપ કરી નાખ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ