મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઇને બીજેપી સાથે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શિવસેનાએ પોતાના દમ પર સરકાર બનાવવાની વાત કરતા રાજકીય હલચલ તેજ બની છે. એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે જો શિવસેના ઇચ્છે તો પોતાના દમ પર રાજ્યમાં સરકાર બનાવી શકે છે. રાઉતનું કહેવું છે કે જો શિવસેના નિર્ણય કરે છે તો તેને સ્થિર સરકાર બનાવવા માટે જરુરી સંખ્યા મળી જશે.
શિવસેનાએ પોતાના દમ પર સરકાર બનાવવાની વાત કરતા રાજકીય હલચલ તેજ
સંજય રાઉતનો દાવો, જો શિવસેના ઇચ્છે તો પોતાના દમ પર રાજ્યમાં સરકાર બનાવી શકે
જનતા શિવસેનાના મુખ્યમંત્રી ઇચ્છે છે : સંજય રાઉત
એમણે કહ્યું કે, જનતાએ 50-50 ફોર્મૂલાના આધારે સરકાર બનાવવાનો જનાદેશ આપ્યો છે. જનતા શિવસેનાના મુખ્યમંત્રી ઇચ્છે છે. લખીને રાખજો કે શિવસેનાના જ મુખ્યમંત્રી હશે. નોંધનીય છે કે ગુરવારે સંજય રાઉતે એનસીપી ચીફ શરદ પવારની મુલાકાત લીધી હતી. ત્યારથી જ રાજ્યમાં સરકાર બનાવવાના નવા સમીકરણની સંભાવનાઓ જન્મ લેવા લાગી છે.
સંજય રાઉતે એમ પણ કહ્યું કે સરકાર ગઠનને લઇને બીજેપી અને શિવસેના વચ્ચે કોઇ વાતચીત નથી થઇ રહી. અમે ભાજપને કોઇ અલ્ટિમેટમ નથી આપ્યું. આ પહેલા સંજય રાઉતે અપ્રત્યક્ષ રૂપે બીજેપીના કેન્દ્રીય નેતૃત્વ પર નિશાન સાધ્યું. પોતાના ટ્ટિચર એકાઉન્ટ પર એમણે લખ્યું કે, 'સાહેબ! આટલો પણ અહંકાર ન રાખો, સમયના સાગરમાં કેટલાય સિકંદર ડૂબી ગયા છે. જો કે, આ ટ્વિટમાં કોઇપણ પ્રકારનું નામ લેવાયું, પરંતુ શિવસેના નેતાનો ઇશારો સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટી તરફ હતા.
ગુરવારે સંજય રાઉતે એનસીપી ચીફ શરદ પવારની મુલાકાત લીધી હતી, આમ તો સંજય રાઉત તેને શિષ્ટાચાર મુલાકાત બતાવી રહી છે પર તેને બીજેપી પર દબાણ બનાવવાની રણનીતી તરીકે જોવામાં આવી રહી છે. ચર્ચા છે કે શિવસેના સરકાર બનાવવા માટે એનસીપી અને કોંગ્રેસનું સમર્થન લઇ શકે છે.
શિવસેનાના મુખ્યમંત્રી બનાવવાને લઇને પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પોતાનું વલણ કડક બનાવ્યું છે. ગુરુવારે સેના ભવનમાં પાર્ટી ધારાસભ્યોને સંબોધિત કરતા ઠાકરે કહ્યું, મુખ્યમંત્રી પદ મેળવવું શિવસેનાનું સપનું છે. હું એક રાજનૈતિક દળ ઇચ્છું છું અને મારી ઇચ્છા છે કે શિવસેનાના સીએમ હોવા જોઇએ.
સરકાર બનાવવાને લઇને આ છે સમીકરણ
હવે એક સવાલ ચર્ચાઇ રહ્યો છે કે, શું જરુર પડે તો શું કોંગ્રેસ મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વવાળી સરકારને સમર્થન આપી શકે છે? રાજનૈતિક જાણકારોનું માનવું છે કે. હાલ તો તેની જરૂર નહીં પડે. કેમકે શિવસેના અને બીજેપી એક જ જહાજના બે પંખી છે. ગમે તેટલી ઉંચી ઉડાન ભરી લે, પરંતુ વર્તમાન સંખ્યા દળ જોતા તેમને પરત જહાજ પર આવવું જ પડશે.
જો એનસીપી શિવસેના અને કોંગ્રેસ સાથે આવી જાય, તો શિવસેના અને તેના અપક્ષ સમર્થકોના 63, કોંગ્રેસના 44 અને એનસીપીના 54 ધારાસભ્યોના મળીને સંખ્યાબળ 161 થાય છે. જે સામાન્ય બહુમતથી 16 ધારાસભ્ય વધારે છે. આ સ્થિતિમાં બિન બીજેપી સરકારની સ્થાપના સંભવ છે. જો એનસીપી 2014ની જેમ બીજેપીની અલ્પમત સરકારને પ્રત્યક્ષ અથવા પરોક્ષ સમર્થન કરે છે, તો બીજેપીની સરકાર બનવાની સંભાવના છે. જો એનસીપી વિશ્વાસ મત દરમિયાન વિધાનસભા ગૃહમાં ઉપસ્થિતિ ન રહે તોપણ ગૃહની સદસ્ય સંખ્યા ઘટવાને કારણે બીજેપીની અલ્પમત સરકાર બની રહી શકે છે.
જો બીજેપીની સરકાર નથી બની શકતી અથવા ગૃહમાં ટકી નથી શકતી, તો બીજા સૌથી મોટી પાર્ટી તરીકે શિવસેનાએ રાજ્યપાલ પાસે સરકાર ગઠનનો દાવો કરવો પડશે. શિવસેનાએ રાજ્યપાલને સંતુષ્ટ કરવા પડશે કે તેની પાસે જરુરી 145 ધારાસભ્યોનું સમર્થન છે. શિવસેનાની પાસે પોતાના 56 અને 7 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. આ પ્રકારે કુલ ધારાસભ્ય સંખ્યા 63 છે. જો કોંગ્રેસ સમર્થન કરે છે તો પણ, કોંગ્રેસ પાસે માત્ર 44 ધારાસભ્ય છે. આમ ટોટલ સંખ્યા 107 છે જે બહુમતથી 38 ઓછી છે.
વર્તમાનમાં સ્થિતિ એ છે કે બીજેપીના સૌથી વધારે ધારાસભ્યો છે. તેથી સરકાર બનાવવાનો પહેલો હક બીજેપીનો છે. રાજ્યપાલ તેમને જ સરકાર બનાવવા આમંત્રણ આપશે. હાલ બીજેપી પાસે પોતાના 105 અને 10 અન્ય અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. કુલ મળીને બીજેપી પાસે 115 ધારાસભ્યો છે. જ્યારે તેને બહુમત માટે 145 ધારાસભ્યોની જરૂર છે. આમ બીજેપીને 288 સભ્યો વાળા ગૃહમાં બહુમત સાબિત કરવા માટે વધુ 30 અન્ય ધારાસભ્યોની જરૂર પડશે. જો શિવસેના સમર્થન નથી કરતી તો બીજેપી માટે 145નો મેજિક ફિગર સુધી પહોંચવું અશક્ય છે.