ઉત્તર પ્રદેશના ચર્ચિત હાથરસ કાંડ પર રાજકારણ ગરમાયુ છે. આ મામલામાં શિવસેના પણ યોગી સરકાર નિશાન સાધી રહી છે. શિવસેનાના એમએલએ પ્રતાપ સરનાઈકે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પાસે માંગ કરી છે કે હાથરસ કાંડની તપાસ મુંબઈ પોલીસ પાસે કરાવવામાં આવે. આ તપાસ પહેલા મુંબઈમાં પણ એક કેસ સીઆરપીસી 154 હેઠળ નોંધાયો છે.
મહારાષ્ટ્રમાં પણ એક કેસ દાખલ થવો જોઈએ
મુંબઈ પોલીસ યુપી જઈને આ મામલાની તપાસ કરે
આ કેસ સીબીઆઈને સોંપવામાં આવે તો અમને કોઈ વાંધો નથી.
જે સરકારની મુંબઈ પોલીસ પર સુશાંતના કેસમાં તપાસ બરાબર નહીં કર્યાનો આરોપ છે તે હવે હાથરસમાં તપાસ કરવાની વાત કરી રહી છે. પ્રતાપ સરનાઈએ કહ્યું કે જે રીતે યુપી પોલીસે પીડિતાનો અંતિમ સંસ્કાર અડધી રાતે પરિવારની હાજરી વગર કરી દીધો તેનાથી તેમના પર અનેક સવાલ ઉભા થયા છે. એટલા માટે મહારાષ્ટ્રમાં પણ એક કેસ દાખલ થવો જોઈએ અને મુંબઈ પોલીસ યુપી જઈને આ મામલાની તપાસ કરે.
તેમણે એમ પણ કહ્યું કે સુશાંત સિંહના કેસમાં બિહાર પોલીસે પોતાના રાજ્યમાં કેસ દાખલ કર્યો હતો. આ મામલો પણ એવી જ રીતે મુંબઈમાં દાખલ કરવામાં આવવો જોઈએ. ભવિષ્યમાં જો તપાસ માટે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવે તો અમને કોઈ વાંધો નથી.
ઉલ્લેખનીય છે કે હાથરસની પીડિતાનો અંતિમ સંસ્કાર અડધી રાતે પરિવારની ગેરહાજરીમાં થયાની ઘટનાથી રાજકારણ ગરમાયુ છે. વિપક્ષ યોગી સરકાર પર નિશાન સાધી રહી છે. જો કે યોગી સરકારે જિલ્લા પોલીસ અધિક્ષક, એક ડીએસપી અન અન્ય પીઆઈને સસ્પેન્ડ કર્યા છે. આ મામલાસી સાથે આરોપી, પોલીસ અને પરિવારનો નાર્કો ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે.