હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનો 15 ઓગસ્ટ સુધી રહેશે. આ દિવસોમાં શિવજીની વિશેષ પૂજા કરવા પર ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થઇ જાય છે અને પુણ્યમાં વધારો થઇ શકે છે. ઘણા બધા લોકો ઘરમાં શિવલિંગ રાખવા ઇચ્છે છે અથવા તો ઘરમાં છે તો જાણો શિવલિંગથી જોડાયેલી ખાસ વાતો.
જ્યોતિષાચાર્ય અનુસાર દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓ ઘરમાં રાખવી જોઇએ નહીં, પરંતુ શિવલિંગ રાખી શકો છો. કારણ કે શિવલિંગને ક્યારેય પણ ખંડિત માનવામાં આવતું નથી. શિવલિંગને નિરાકાર રૂપ માનવામાં આવી રહ્યું છે. આ કારણથી ટૂટેલું શિવલિંગ પણ પૂજનીય હોય છે.
શિવપુરાણ અનુસારઘરમાં શિવલિંગ વધારે મોટું રાખવું જોઇએ નહીં, ઘરમાં નાનું શિવલિંગ રાખવું શુભ હોય છે.
આપણા અંગૂઠાના પહેલા વેઢાથી મોટા આકારનું શિવલિંગ ઘરમાં રાખવું જોઇએ નહીં.
ઘરમાં શિવલિંગ એવી જગ્યા પર ના રાખો જ્યાં દરરોજ સાફ સફાઇ થતી નથી. જો ઘરમાં શિવલિંગ રાખવું છે તો પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખો.
શિવલિંગની પૂજા કરતી વખતે ભક્તનું મોઢું ઉત્તર દિશા તરફ હોય તો એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
દરરોજ સવાર સાંજ શિવલિંગની પૂજા કરો. જો વિધિવત પૂજા કરી શકતા નથી તો દીવો જરૂરથી પ્રગટાવો. દીવો પ્રગટાવીને ઓમ નમ: શિવાય મંત્રનો જાપ 108 વખત કરો. મંત્ર જાપ રૂદ્રાક્ષની માળાથી કરવો જોઇએ.
શિવલિંગની સાથે જ ગણેશજી, માતા પાર્વતી, નંદીની પણ મૂર્તિઓ જરૂરથી રાખો, પૂજાની શરૂઆતમાં ગણેશ પૂજાથી કરવી જોઇએ.