દેશની સરહદ પર નેપાળ સશસ્ત્ર પોલીસ દળ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા ફાયરિંગ પર પ્રહાર કરતા શિવસેનાએ મંગળવારે કહ્યું હતું કે નેપાળી બંદૂકોના નાળચા તાત્કાલિક તોડી નાખવા જોઈએ અન્યથા આવા કિસ્સાઓ હંમેશની જેમ મામૂલી બની જશે.
નેપાળી બંદૂકો તોડી નાખો
શિવસેનાએ સામનાનાના તંત્રીલેખમાં કર્યો વ્યક્ત કર્યો આક્રોશ
ભારત-નેપાળ બોર્ડર પર બનેલી ઘટનાને લઇને કરી વાત
ઉલ્લેખનીય છે કે, શિવસેનાના મુખપત્ર 'સામના' ના એક તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે ચીન હજી પણ લદ્દાખમાં શાંતિથી બેઠું છે, અને તે સાબિત કરવા માટે રમત રમી રહ્યું છે કે, ભારતીય સરહદો પર શાંતિ યથાવત રહે અને બીજી તરફ તે નેપાળ અને પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરાવી રહ્યું છે.
સામનાના તંત્રીલેખમાં ભારતીય સૈનિકોની કરી પ્રશંસા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને યોગ્ય જવાબ આપવા બદલ ભારતીય સૈનિકોની પ્રશંસા કરતાં શિવસેનાએ એ જાણવાની કોશિશ કરી કે દેશના શાસકો પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગ અને સીમાપાર ફાયરિંગ રોકવામાં ક્યારે સમર્થતા દર્શાવશે. પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે બિહારના કિશનગંજ જિલ્લામાં ભારત-નેપાળ સરહદ પર 'નો મેન્સ લેન્ડ' પર નેપાળ સશસ્ત્ર પોલીસ દળ (એનએપીએફ) દ્વારા થયેલ ગોળીબારમાં એક ભારતીય નાગરિક ઘાયલ થયો હતો.
ચાલુ વર્ષે 2700 વખત પાકિસ્તાને કરી અવળચંડાઇ
શિવસેનાએ મંગળવારે કહ્યું કે પાકિસ્તાને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 2,700 વારથી વધુ સીઝફાયર ઉલ્લંઘન કર્યું છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી પાર્ટીએ કહ્યું કે આ ઘટનાઓમાં 21 નિર્દોષ ભારતીય નાગરિકો માર્યા ગયા અને 94 અન્ય ઘાયલ થયા. પાર્ટીએ કહ્યું કે હવે, નેપાળ તરફથી કરવામાં આવતા ફાયરિંગમાં પણ તેમાં ઉમેરો કરવામાં આવ્યો છે. મતલબ કે પહેલા પાકિસ્તાન સરહદ પારથી ફાયરિંગ કરી રહ્યું હતું. હવે નેપાળી બંદૂકો નિર્દોષ ભારતીયોનો પણ જીવ લઇ રહી છે.