મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ થઇ ગઇ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાના દીકરા આદિત્ય ઠાકરે સાથે મોડી રાત્ર એનસીપી ચીફ શરદ પવારના ઘરે પહોંચ્યા હતા. શરદ પવારના ઘરે શિવસેના સાંસદ રાઉત અને એનસીપી નેતા અજીત પવાર પણ હાજર રહ્યા હતા. ઉદ્ધવ ઠાકરે તે સમયે શરદ પવારના ઘરે પહોંચ્યા હતા, જ્યારે શુક્રવારે મુંબઇમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની બેઠક થવાની છે.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને કાઉન્ટડાઉન
શિવસેના સાથે ચર્ચા કરશે કોંગ્રેસ-એનસીપી
મહારાષ્ટ્રમાં ગઠબંધન પર લાગી શકે છે મહોર
મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને શિવસેના, કોંગ્રેસ અને NCPએ ગઠબંધન કર્યું છે. આજે ત્રણેય પક્ષોની બેઠક યોજાશે. સવારે 9 વાગે મુંબઈમાં બેઠક યોજાશે. શિવસેના, કોંગ્રેસ અને NCPના નેતાઓ વચ્ચે મહત્વની બેઠક યોજાશે. જો કે સરકાર બનાવા પર મુખ્ય એજન્ડા શું હશે તેના પર હજુ સુધી કોઇ માહિતી મળી નથી.
Mumbai: Shiv Sena leaders Uddhav Thackeray, Aaditya Thackeray and Sanjay Raut leave from NCP leader Sharad Pawar's residence after a meeting. #Maharashtrapic.twitter.com/le7mgu496Z
કોંગ્રેસ અને NCP વચ્ચે તમામ મુદ્દે સહમતી બનીઃ પૃથ્વીરાજ ચૌહાણ
મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બનાવવાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ અને NCP વચ્ચે બેઠકો ચાલી રહી છે. અત્યાર સુધી ભલે ઔપચારિક રીતે જાહેરાત ન થઈ હોય પણ પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણના નિવેદન પરથી નક્કી થઈ ગયું છે કે આગામી 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સરકારને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું હતું કે, કોંગ્રેસ અને NCP વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ અને NCP વચ્ચે તમામ મુદ્દે વાતચીત થઈ છે અને સહમતી બની છે. NCP અને કોંગ્રેસ વચ્ચે કોમન મિનીમમ પ્રોગ્રામ નક્કી થઈ ગયો છે. મંત્રીઓને લઈને પણ વાતચીત થઈ ગઈ છે.
CM તરીકે ઉદ્ધવ ઠાકરેનું નામ નક્કી!
તો સુત્રોનું માનીએ તો ગઠબંધનનું નામ પણ નક્કી થઈ ગયું છે. ગઠબંધનનું નામ `મહાવિકાસ અઘાડી' હોય શકે છે. તો CM તરીકે ઉદ્ધવ ઠાકરેનું નામ નક્કી છે. ત્રણેય પક્ષમાં મહત્વના મંત્રાલયોની વહેંચણી સમાન હશે. તેમજ મંત્રીમંડળમાં આદિત્ય ઠાકરેનો પણ સમાવેશ કરી લેવાશે. જો કે કોંગ્રેસ ધારાસભ્ય દળની આજે બેઠક મળશે. જેમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. તેમજ કોંગ્રેસ અને NCP પોતાના સાથી પક્ષ સાથે પણ વાતચીત કરશે. PWP, SPI(M), સમાજવાદી પાર્ટી અને સ્વાભિમાની પક્ષ સાથે કોંગ્રેસ અને NCP વાત કરશે. તો બીજી તરફ શિવસેનાના ધારાસભ્યની માતોશ્રીમાં બેઠક થશે.