8 દિવસની કસ્ટડીની ઈડીની માગ ફગાવી કોર્ટે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસમાં આજે સંજય રાઉતને મુંબઇની પીએમએલએ કોર્ટમાં રજૂ કર્યાં હતા અને તેમની 8 દિવસની કસ્ટડી માગી હતી. જોકે કોર્ટે તેમની આઠ દિવસની કસ્ટડીની ઈડીની માગ ફગાવી દઈને ફક્ત ચાર દિવસની કસ્ટડી મંજૂર કરી હતી.
Sanjay Raut was summoned 4 times but he appeared before the agency only once. During this, Sanjay Raut tried to tamper with the evidence and key witnesses - ED's lawyer argued
સંજય રાઉત પર પાત્રા ચાલી કૌભાંડમાં સંડોવણીનો આરોપ
શિવસેના સાંસદ સંજય રાઉત પર પાત્રા ચાલી કૌભાંડ કેસમાં કથિત અનિયમિતતાનો આરોપ લાગ્યો છે. સંજય રાઉતના રિમાન્ડ પર કોર્ટમાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. રાઉત અને ઇડીના વકીલોએ કોર્ટ સમક્ષ પોતાની દલીલો રજૂ કરી હતી. જેના પગલે કોર્ટે રાઉતને 4 ઓગસ્ટ સુધી ઇડીના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.
સંજય રાઉતના પરિવારને 1.6 કરોડનો ફાયદો
કોર્ટમાં સુનાવણી દરમિયાન તપાસ એજન્સી ઈડીએ સંજય રાઉત પર પુરાવા સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે.ઈડીએ કોર્ટમાં કહ્યું કે સંજય રાઉતના પરિવારને 1 કરોડ 6 લાખનો ફાયદો થયો. ઇડીએ કહ્યું કે સંજય રાઉતને પૂછપરછ માટે ત્રણ વખત સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તેઓ જાણી જોઇને હાજર થયા ન હતા. કોર્ટમાં સુનાવણી દરમિયાન ઈડીએ કહ્યું કે ફ્લેટના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હેમંત પાટીલે બે અલગ અલગ નિવેદન આપ્યા હતા. ઇડીએ કહ્યું કે સંજય રાઉત અને તેના પરિવારને સીધો ફાયદો થયો છે. રાઉત પરિવારે મની લોન્ડરિંગ કર્યું છે.