બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Pravin
Last Updated: 02:30 PM, 27 March 2022
મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ દ્વારા નરેન્દ્ર મોદીના 24 કલાક જાગવાનું નિવેદન ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. પણ આ ચર્ચા હાલમાં તેમના દ્વારા નહીં, પણ આ નિવેદનને લઈને સંજય રાઉત દ્વારા કરવામાં આવેલા કટાક્ષના કારણે થઈ છે. હકીકતમાં શિવસેના નેતા સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામનામાં એક કોલમમાં ચંદ્રકાંત પાટિલના આ નિવેદનને લઈને ઘણુ બધું કહી દીધું છે.
મોદી ચમચાગિરી વધવાથી પરેશાન
સંજય રાઉતે કહ્યું કે, કોંગ્રેસના સમયમાં દિલ્હીથી મુંબઈ સુધી ચમચાઓની બોલબાલા હતી. હવે મોદી યુગમાં પણ ચમચાઓની જગ્યાએ અંધભક્તોએ લઈ લીધી છે. પણ તેમનું કામ પણ એજ છે. તેઓ કહે છે કે, આજે દેશની રાજનીતિમાં ડાયરેક્ટ 2 જૂથ છે. પહેલી અંધભક્તોની ફૌજ, તેમાં પણ એક જૂથ અંધભક્તોનું પ્રખર જૂથ છે. તો વળી બીજી બાજૂ ચમચા મહામંડળ છે. આ બંને દેશ માટે ખતરનાક છે. ભાંડ, ભાટ અને ચમચાઓને જે રાજ્યોમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે છે, તે રાજ્ય રસાતાળમાં જતું રહે છે અને રાજા વિશ્વાસ ખોઈ બેસે છે. હાલમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવા પ્રકારની જ ચમચાગીરી થી પરેશાન છે. રાઉતે કહ્યું કે, ચંદ્રકાંત પાટિલ અંધભક્તિનો ઢોલ વગાડે છે. નરેન્દ્ર મોદી અટક્યા વગર પરિશ્રમ કરે છે. તે 22 કલાક કામ કરી રહ્યા છે. અને ખાલી 2 કલાક ઉંઘે છે. હવે આ 2 કલાકની ઉંઘ પણ ન આવે તેના માટે પ્રયાસ કરી રહ્યા છે. પાટિલની આવી વાતો સાંભળીને દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીની 2 કલાકની ઉંઘ પણ ઉડી ગઈ હશે. ભક્તોની અંદર આટલી માનસિક શક્તિ ક્યાંથી આવે છે. અમુક વાતો પરથી તે જાણી લો.
वाचा आजचे रोखठोक - चमचे, अंधभक्त आणि भेंड्याची भाजी!@rautsanjay61https://t.co/5d5nj6SrIz pic.twitter.com/wQqpVLwyyW
— Saamana (@SaamanaOnline) March 27, 2022
સંજય રાઉતે ચંદ્રકાંત પાટિલના એ નિવેદન પર કહ્યું કે, માલિક તો મહાન છે, પણ ચમચાઓથી પરેશાન છે. તેમણે પાટિલને ઘેરવા માટે અમુક વાતોનો સહારો લીધો હતો. તેમણે આચાર્ય રજનીશની એક કહાની જેમાં નવાબ અને અંધભક્ત મુલ્લા નસરુદ્દીનનો ઉલ્લેખ કર્યો છે. તે કહે છે કે, ભક્ત એજ કરે છે. જે માલિકને પસંદ છે. મોદીને ખિચડી પસંદ છે, એટલા માટે ભક્તોને પણ ખિચડી પસંદ આવવા લાગી. મોદીએ ચા વેચી, એટલા ભક્તોએ પણ ચા વેચવાની શરૂ કરી દીધી. આ ભક્તિનો કોઈ તોડ નથી. તેમણે હરિશંકર પસરાઈ દ્વારા ચમચા પર લખેલો વ્યંગ્યનો પણ ઉલ્લેખ કર્યો છે.
મીડિયા કવરેજ પર સવાલો કર્યા
સંજય રાઉતે દ કશ્મીર ફાઈલ્સ અને રશિયા યુક્રેન યુદ્ધ પર અમુક ચેનલો દ્વારા કરવામાં આવેલા કવરેજ પર પણ સવાલો ઉભા કર્યા હતા. તેમણે આ અંધભક્તિ હોવાનું જણાવ્યું હતું. તેમણે બંને મુદ્દા પર મોદીને હીરો બનાવા સામે વાંધો ઉઠાવ્યો હતો. અહીં પણ તેમણે કેટલાય પ્રકારના ઉદાહરણો આપ્યા હતા. તેમણે કહ્યું કે, અમુક ચેનલોએ આજથી 20 દિવસ પહેલા બતાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી યુક્રેન અને રશિયાના રાષ્ટ્રપતિઓ સાથે કલાકો સાથે વાતો કરી હતી. બંને પાસે શાંતિની અપીલ કરી અને બંને તેમની વાત માની પણ લીધી. હવે સવાલ એ થાય છે કે, બંને નેતાઓએ મોદીની વાત માની લીધી તો, પછી યુદ્ધ હજૂ સુધી કેમ ચાલુ છે. અને આટલા લોકો શા માટે મરી રહ્યા છે. આટલો વિધ્વંસ સામે માટે થઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army