બોલીવૂડના યંગ અને પ્રભાવશાળી એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આપઘાત કર્યો અને તેમની પાછળ કેટલીયે દિલચસ્પ યાદો છોડી ગયા. આજે મનોજ વાજપેયી સાથે ઇન્ટાગ્રામ લાઇવ પર ડાયરેક્ટર શેખર કપૂરે જણાવ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતની સાથે ફિલ્મ પાણીમાં કામ કરવાના હતા. આ ફિલ્મમાં સુશાંત ગોરાનો કિરદાર નિભાવવાના હતા. આ ફિલ્મ માટે સુશાંતે કેટલાય મહિનાથી તૈયારીઓ પણ કરી હતી.
સુશાંત રાજપૂતના આપઘાતનો મામલો
શેખર કપૂરે કહ્યું, અડધી રાતે ફોન કરતો સુશાંત
ખૂબ જ ઉત્સાહી છોકરો હતો
શેખર કપૂરે કહ્યું કે, તેમાં ચીજોને લઇને ખૂબ ઉત્સાહિત રહેતો હતો. તેનામાં એક ગજબની રેસ્ટલેસનેસ હતી. તે મારી સાથે પ્રોડક્શન ડિઝાઇનની મીટિંગમાં હાજર રહેતો હતો તે વીએફએક્સની મીટિંગમાં પણ સાથે રહેતો હતો, વર્કશોપમાં પણ હાજર રહેતો હતો. તેનામાં શીખવાની ઉત્સુકતા હતા જે તેમને બાળકોમાં જોવા મળે છે.
સુશાંત રડ્યો અને હું પણ ભાવૂક થયો પરંતુ આનું નામ જિંદગી છે
તેમણે વધુમાં કહ્યું કે, તે મને અડધી રાતે 3-3 વાગ્યે પણ તેમની ભૂમિકા વિશે ફોન કરતો હતા અને મને ખૂબ આનંદ થયો કે મને આ ફિલ્મ માટે એક અભિનેતા મળી ગયો છે જે તેની ભૂમિકા વિશે ખૂબ ઉત્સાહી છે. જો કે, જ્યારે નિર્માતાઓએ ફિલ્મમાંથી બહાર કાઢ્યો ત્યારે તે નિરાશ થઈ ગયો, સુશાંત રડ્યો અને હું તેની સાથે ખૂબ ભાવૂક બની ગયો. પણ આનું નામ જિંદગી છે.
Dear Sushant, there was so much more you had to offer. Perhaps the world was not up to your beliefs.. you should not have gone like this ...but then you were an old wise soul in a restless young body. Often the heavens cannot handle that .. pic.twitter.com/OJG4IzotRk
શેખર કપૂરે કહ્યું મને આશા છે કે ભગવાન સુશાંતના આત્માને શાંતિ આપે
સુશાંતના પરિવાર વિશે વાત કરતાં શેખરે કહ્યું કે તે નિશ્ચિતરૂપે ખૂબ ઉંડા આઘાતમાંથી પસાર થઈ રહ્યો છે. હું સુશાંતને હંમેશાં હીથ લેજર અને જેમ્સ ડીન જેવા કલાકારોની શ્રેણીમાં યાદ કરીશ, જેઓ ખૂબ જ યુવાન અને અત્યંત પ્રતિભાશાળી કલાકારો હતા, જેઓ તેમના સિનેમામાં પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા. સુશાંત હંમેશા મારા માટે ઉચ્ચ વર્ગનો કલાકાર રહેશે અને હું તેના પરિવારને કહેવા માંગુ છું કે જો તમે તમારો પુત્ર ગુમાવશો તો અમે પણ મારો ભાઈ ગુમાવ્યો છે. મને આશા છે કે ભગવાન સુશાંતના આત્માને શાંતિ આપે.