શીલા દીક્ષિતની એસ્કૉર્ટ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. શનિવારે બપોરે 3 વાગ્યે 5 મીનિટ પર એમને હાર્ટ અટેક આવ્યો. ત્યારબાદ એમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા અને 3 વાગ્યેને 55 મીનિટ પર એમનું નિધન થઇ ગયું.
કોંગ્રેસની વરિષ્ઠ નેતા અને દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત હવે આપણી વચ્ચે નથી રહ્યા. 81 વર્ષની ઉંમરે તેમનું નિધન થઇ ગયું છે. લાંબા સમયની બિમારી બાદ શીલા દીક્ષિતનું શનિવારે નિધન થઇ ગયું.
શીલા દીક્ષિત શરૂઆતથી જ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલી હતી અને પોતાના છેલ્લા શ્વાસ સુધી શીલા દીક્ષિતને કોંગ્રેસ માટે ચિંતા હતી. તો બીજી બાજુ શીલા દીક્ષિતનો છેલ્લો સંદેશ પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ માટે જ હતો. પોતાના છેલ્લા સંદેશમાં શીલા દીક્ષિતે કોંગ્રેસ કાર્યકર્તાઓને ભાજપ કાર્યાલય માટે બહાર પ્રદર્શન કરવા માટે કહ્યું હતું. પોતાના છેલ્લા સંદેશમાં એમને કોંગ્રેસ કાર્યકર્તાઓને કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધી અને પ્રદેશ સરકારની વચ્ચે ગતિરોધ ખતમ થતો નથી તો એ ભાજપની ઓફિસની બહાર પ્રદર્શન કરે.
વાસ્તવમાં ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં જમીન વિવાદમાં 10 લોકોનો મોત થઇ ગયા હતા. આ મામલે પીડિતોને મળવા માટે પ્રિયંકા ગાંધી યૂપી ગઇ હતી. જો કે યૂપી પ્રશાસને પ્રિયંકાને પીડિત પરિવારને મળતા રોકી અને એને કસ્ટડીમાં લેવાઇ હતી. ત્યારબાદ પ્રિયંકા ધરણાં પર બેસી ગઇ હતી. આ મુદ્દાને લઇને શીલાએ કોંગ્રેસ કાર્યકર્તાઓને ભાજપ ઑફિસ બહાર પ્રદર્શન કરવા માટે કહ્યું હતું.
શીલા દીક્ષિતના નેતૃત્વ વાળી પૂર્વ દિલ્હી સરકારમાં મંત્રી રહેલ કિરણ વાલિયા પ્રમાણે, 'એમને પોતા છેલ્લા સંદેશમાં કાર્યકર્તાઓને ભાજપના મુખ્યાલય બહાર પ્રદર્શન કરવા કહ્યું હતું. એ પ્રદર્શન કરવા માટે હાજર નહતા. એટલા માટે એમની જગ્યાાએ પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ હારૂન યૂસુફને નેતૃત્વ કરવાનું હતું. શીલા દીક્ષિતે કહ્યું હતું કે જો યૂપી સરકાર અને પ્રિયંકા ગાંધીની વચ્ચે ગતિરોધ ખતમ નમા થાય તો કોંગ્રેસ કાર્યકર્તા ભાજપ મુખ્યાલયની બહાર પ્રદર્શન કરે.'