કટ્ટરવાદી વિચારધારા ધરાવતી કશ્મીરી નેતા શેહલા રાશિદે કલમ 370 હટાવ્યા બાદ જમ્મૂ-કશ્મીરમાં લોકો પર અત્યાચારના ખોટા સમાચાર ટ્વિટર પર ફેલાવ્યા હતા. ભારતીય સેના અને સરકાર વિરુદ્ધ શેહલાએ એક બાદ એક 10 ટ્વિટ કર્યા હતા. ત્યારબાદ સેનાએ શેહલાના દરેક દાવાને ફગાવતા તેને ફેક ન્યૂઝ ગણાવ્યા હતા.
શેહલા રાશિદે કલમ 370 મામલે કરી ટ્વીટ
કટ્ટરવાદી વિચારધારા ધરાવતી કશ્મીરી નેતા શેહલા રાશિદે કલમ 370 હટાવ્યા બાદ જમ્મૂ-કશ્મીરમાં લોકો પર અત્યાચારના ખોટા સમાચાર ટ્વિટર પર ફેલાવ્યા હતા. બીજી તરફ સુપ્રીમ કોર્ટના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેમની માગ છે કે સેના વિરુદ્ધ ખોટી અને પાયાવિહોણી વાતો ફેલાવનાર શેહલાની ધરપકડ કરવામાં આવે.
Indian Army: Allegations levelled by Shehla Rashid are baseless and rejected. Such unverified & fake news are spread by inimical elements and organisations to incite unsuspecting population. pic.twitter.com/m6CPzSXZmJ
શેહલાએ તેના ટ્વિટર હેન્ડલ પર જમ્મૂ-કશ્મીરની પરિસ્થિતિ અને ભારતીય સેના વિશે ખોટી વાતો ફેલાવી હતી. તેણે આરોપ લગાવ્યો કે, કશ્મીરમાં અત્યારે પરિસ્થિતિ ખરાબ છે. ઘરોમાં ઘુસીને આર્મીવાળા બાળકો પર અત્યાચાર કરી રહ્યા છે અને પૂછપરછ માટે કલાકો સુધી યુવાનોને કસ્ટડીમાં બેસાડીને ટોર્ચક કરી રહ્યા છે.
સેનાએ શેહલાના દાવાને ફગાવ્યા
ભારતીય સેનાએ શેહલાના પ્રોપેગેન્ડાથી પ્રેરિત દાવાઓને નકારી દીધા હતા. સેનાએ કહ્યું કે, આ આરોપો પાયાવિહોણા છે. અમુક અસામાજિક તત્વો અને સંગઠનો નફરતથી ગ્રસ્ત ખોટા સમાચારો ફેલાવીને અશાંતિ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શેહલા રાશિદ એક કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે
કશ્મીર અને ઇસ્લામિક આતંકવાદીઓ પ્રત્યે સોફ્ટ કોર્નર ધરાવતી શેહલા રાશિદ એક કટ્ટરવાદી વિચારધારા ફેલાવનારી નેતા છે. તે JNUમાં રિસર્ચ સ્કોલર છે. આ વર્ષે માર્ચમાં શાહ ફૈસલની પાર્ટી જમ્મૂ-કશ્મીર પિપલ્સ મુવમેન્ટ સાથે જોડાઇ હતી. શાહ ફૈસલે IASની નોકરી છોડીને કશ્મીરના રાજકારણ માટે પાર્ટી બનાવી છે.હાલ સમગ્ર કશ્મીરની શાંતી ડહોળવા આ પ્રકારના અસામાજિક તત્વો પ્રયાસ કરી રહ્યા છે.