શત્રુઘ્ન સિન્હા આખરે ભાજપને અલવિદા કરીને કોંગ્રેસમાં સામેલ થવા જઈ રહ્યા છે. અત્યાર સુધી ભાજપમાં રહીને જ ભાજપ પર પ્રહારો કરનાર શત્રૂધ્ન સિંહા હવે કોંગ્રેસ પર વ્હાલ વરસાવી રહ્યા છે. શત્રુઘ્ન સિન્હાને હવે કોંગ્રેસ ભારતનું રાજનીતિક ભવિષ્ય લાગી રહ્યું છે. આ પહેલા તેમને કોંગ્રેસ અને ભાજપ પર પ્રહાર કરતા હતા પરંતુ હવે તેઓ કોંગ્રેસના વખાણ કરતા નજર આવી રહ્યા છે.
ભાજપમાંથી ટિકિટ કપાયા બાદ શત્રૂધ્ન સિંહાએ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે. તેઓ જોડાયા બાદ તુરંત તેમને કોંગ્રેસના વખાણ કરતા નજરે પડ્યા છે. સિન્હાએ હાલમાં જ ભાજપ સાથે છેડો ફાડ્યો અને હવે કોંગ્રેસમાં જોડાયા છે. આ સાથે જ તેમણે કોંગ્રેસને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. સોનિયાજી, રાહુલ અને પ્રિયંકા સાથે હાથ મિલાવ્યો છે. હું હવે કોંગ્રેસનો ભાગ છું. કોંગ્રેસ જ કેમ પસંદ કરી તેનો જવાબ આપતા તેમને કહ્યું કે, મેં બહુ સમજી વિચારીને આ નિર્ણય લીધો છે. અને કેમ નહીં? કોંગ્રેસ એ જ પાર્ટી છે જેણે ભારતને આઝાદી અપાવી. તેણે આપણને સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ જેવા રાષ્ટ્રીય નેતા આપ્યા છે. આ તો ભૂતકાળની વાત હતી પરંતુ હવે કોંગ્રેસમાં તેવા નેતાઓ ક્યાં છે?
તેના જવાબમાં શત્રુઘ્ને કહ્યું કે, આવી જ દલીલ અમે ભાજપ માટે પણ આપી શકીએ છીએ. મેં એલ.કે અડવાણી અને અટલ બિહારી વાજપેયી જેવા મહાન નેતાઓના કારણે ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો. નેતૃત્વ તો બદલાય જ છે. આજે કોંગ્રેસ રાહુલ ગાંધીના હાથમાં છે.
સિન્હા કોંગ્રેસ અધ્યક્ષના જોરદાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, રાહુલ છેલ્લા એક વર્ષમાં ઘણા પરિપક્વ થયા છે. તેમની હવે મજાક ઉડાવી શકાય નહીં. પ્રિયંકાએ પણ રાહુલ સાથે હાથ મિલાવ્યો છે. આપણે તેમને તક આપવી જોઈએ. મારી સાથે તેમણે જ્યારે વાત કરી ત્યારે મને આનંદ થયો અને કહ્યું કે પાર્ટીમાં મારું સ્વાગત કરવા પર તેઓ ખુબ ખુશ છે.
ઉલ્લેખનીય છે કે, શત્રુઘ્ન છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપથી ભારે નારાજ હતાં. આખરે તેમણે ભાજપને રામરામ કરીને કોંગ્રેસમાં શામેલ થવાનો નિર્ણય લઈ લીધો છે.