બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 02:47 PM, 8 October 2019
ADVERTISEMENT
થરૂર અભિવ્યક્તિ સ્વતંત્રતા અંગે ચર્ચા કરી
શશી થરૂર પત્રમાં જણાવ્યું કે મોબ લિંચિંગ અંગે એક સ્ટેન્ડ લો. PM લોકોની અભિવ્યક્તિ સ્વતંત્રતાને જાળવી રાખવા પ્રતિબદ્ધ બને. મોબ લિન્ચિંગ પછી સાંપ્રદાયિક નફરતથી કરવામાં આવ્યું હોય કે અપહરણની અફવાહથી. આ એક એવી બીમારી બની ગઈ છે, જે ઝડપથી ફેલાઈ રહી છે. આ (49) લોકોએ તેને તમારી જાણમાં લાવવાનું યોગ્ય કામ કર્યું છે. તેમણે વધુ કહ્યું હતું કે એક ભારતીય તરીકે અમે આશા રાખીએ છીએ કે અમારામાંથી દરેક ડર્યા વગર રાષ્ટ્રીય મહત્વના મુદ્દાને પ્રકાશમાં લાવી શકે, જેથી તમે તેને સંબોધિત કરી શકો. અમને તમારી પર વિશ્વાસ છે કે તમે પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું સમર્થન કરશો. જેથી ભારતના નાગરિકોની મન કી બાત મૌન કી બાતમાં ન બદલાઈ જાય.
ADVERTISEMENT
Urging all those who believe in #FreedomOfExpression to send this or similar letters to @PMOIndia @narendramodi urging him to affirm the constitutional principle of our Article 19 rights & the value of democratic dissent — even if more FIRs follow as a result! #SaveFreeSpeech pic.twitter.com/MDIrros64j
— Shashi Tharoor (@ShashiTharoor) October 8, 2019
થરૂરે કહ્યું તમારા વિરોધીઓને દુશ્મન ન માનો
શશીએ PMને પૂછ્યું કે શું નવા ભારતમાં દરેક વખતે નાગરિક કે સરકારની નીતીઓની ટીકા કરવા પર FIR નોંધાવવામાં આવશે ? શું નવા ભારતને તમે એવું બનાવવા માંગો છો કે દેશના લોકોને સાંભળવામાં ન આવે, તેમની મુશ્કેલીઓને સાંભળવામાં ન આવે ? શું નવું ભારત એવું છે, જેમાં તમારી સાથે મતભેદ રાખનાર તમામ વિરોધી પાર્ટીઓને દેશનો દુશ્મન માનવામાં આવે. નવું ભારત શું એવું હશે, જ્યાં પત્રકારોને શાસનની નિષ્ફળતાને બહાર લાવવા બદલ ધરપકડ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.