NCP પ્રમુખ શરદ પવારને રાષ્ટ્રપતિ પદને લઇને ઓફર કરવામાં આવી છે તેવી અટકળો વચ્ચે આજે શરદ પવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. પીએમ મોદી અને NCP અધ્યક્ષ શરદ પવારની મુલાકાત સંસદ ભવનમાં થશે. જો કે બંને વચ્ચે મુલાકાત ખેડૂતોના મુદ્દાઓને લઇને થઇ રહી હોવાનું સામે આવ્યું છે.
PM મોદી સાથે મુલાકાત કરશે શરદ પવાર
મહારાષ્ટ્રના ખેડૂતોની સ્થિતિને લઇને બંને નેતાઓ વચ્ચે બેઠક
શરદ પવારને રાષ્ટ્રપતિ પદની ઓફર કરી હોવાની અટકળો
જ્યારે બીજી તરફ મહારાષ્ટ્રમાં શિવસેનાની સત્તામાંથી બહાર રાખવાનો પ્રયત્ન કરી રહેલ ભાજપ શરદ પવારના સતત સંપર્કમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. જેને લઇને ભાજપ દ્વારા શરદ પવારને રાષ્ટ્રપતિ પદની ઓફર કરવામાં આવી છે. જો કે રાષ્ટ્રવાદિ કોંગ્રેસ પાર્ટી ( NCP ) પ્રમુખ શરદ પવારે ભારતીય જનતા પાર્ટી સાથે કોઇપણ પ્રકારના મોલભાવની સંભાવનાને ફગાવી દીધી છે.
NCP અધ્યક્ષ શરદ પવાર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં ખેડૂતોની સ્થિતિને લઇને NCP અને શિવસેનાના સાંસદ PM મોદી સામે ચિંતા વ્યક્ત કરશે.
NCP નેતા નવાબ મલિકે કહ્યું છે કે શરદ પવાર મહારાષ્ટ્રના ખેડૂતોના મુદ્દા પર આજે PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. જો કે શરદ પવાર અને PM મોદીની મુલાકાત અંગેની જાણકારી સોમવારે જ શિવસેના સાંસદ સંજય રાઉતે આપી હતી.