જ્યોતિષ શાસ્ત્રમાં શનિનું સ્થાન મહત્વનું રહે છે. નવગ્રહોમાં શનિને ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે. કોઈના પણ ભવિષ્યને જાણવામાં શનિની સ્થિતિ મહત્વની રહે છે. શનિ સ્વાભાવે ક્રૂર અને અલગાવવાદી છે. વર્ષ 2021માં આ રાશિના જાતકોની કુંડળીમાં શનિ અશુભ ભાવમાં રહેશે અને જાતકોને અશુભ ફળ મળશે. શનિ મંદગતિએ ચાલે તો પરિણામ ધીમું મળે છે. તો જાણો શનિની સાડા સાતી અને ઢૈય્યાથી બચવાના ખાસ ઉપાયો પણ.
વર્ષ 2021માં આ રાશિઓને કરશે શનિ અસર
4 રાશિના જાતકોને રહેશે શનિની સાડાસાતી
2 રાશિના જાતકોને અસર કરશે શનિની ઢૈય્યા
જાણો શનિની અસરથી બચવાના ખાસ ઉપાયો
માનવામાં આવે છે કે શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છ. ગોચર અનુસાર શનિ જે રાશિમાં હોય છે તેને બીજી અને બારમી રાશિ પર સાડાસાતીનો પ્રભાવ માનવામાં આવે છે. જ્યારે શનિ જે રાશિના ચોથા અને આઠમાં ભાવમાં હોય છે તેમને શનિની ઢૈય્યાનો સામનો કરવો પડે છે. શુભ શનિ પોતાની સાડા સાતી અને ઢૈય્યામાં જાતકને લાભ આપનારો માનવામાં આવે છે. જયારે અશુભ શનિ સાડા સાતી અને ઢૈય્યામાં જાતકને અસહનીય કષ્ટ આપે છે.
જાણો શનિ કેવી રીતે કરે છે અસર
શનિ શુભ હોય તો વ્યક્તિ સુખી અને અશુભ હોય તો વ્યક્તિ સતત ચિંતામાં રહે છે. જ્યોતિષના આધારે વર્ષ 2021માં જે રાશિઓ પર શનિની સાડા સાતી તે ઢૈય્યા રહે છે તેઓને ખાસ ઉપાયોથી રાહત મળે છે.
2021 માં શનિની સાડા સાતી અને ઢૈય્યા આ રાશિના જાતકોને કરશે પ્રભાવિત
2021ના વર્ષમાં ધન, મકર અને કુંભ રાશિના જાતકોને આખું વર્ષ શનિની સાડા સાતીનો સામનો કરવો પડશે. આ સિવાય આ વર્ષે મિથુન અને તુલા રાશિના જાતકોને શનિની ઢૈય્યા અસર કરશે. આ અસર કેવી રહેશે તે તમારી કુંડળી પર અસર કરે છે. કુંડળી અનુસાર તમારે શનિના શુભ અને અશુભ પરિણામો ભોગવવાના રહે છે.
શનિનો અશુભ પ્રભાવ દૂર કરવા માટે આ છે ખાસ ઉપાયો, જરૂરથી કરો
શનિનો પ્રભાવ ઓછો કરવા માટે પ્રત્યેક શનિવારે છાયા દાન કરો. એટલે કે લોખંડની વાટકીમાં તેસ ભરીને તેમાં પોતાનું મોઢું જોઈને તે તેલની વાટકીને શનિ મંદિરમાં દાન કરો.
દર સોમવાર અને શનિવારે કાળા તલથી મિક્સ જળથી ભોલેનાથનો અભિષેક કરો. તેનાથી ઉધાર અને શનિનો પ્રભાવ ઘટી શકે છે.
સાડા સાતી અને ઢૈય્યાના સમયમાં કાળા અને ભૂરા વસ્ત્રો ધારણ ન કરો. પ્રત્યેક પક્ષમાં પ્રથમ શનિવાર કાળા અને ભૂરા કંબલનું દાન કરો. શનિથી ડરો નહીં પણ તમારા કર્મ સારા રહે તેનું ધ્યાન રાખો.