શનિદેવ ગુસ્સે થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં સાડાસાતી શરૂ થઈ જાય છે. શનિદેવના ગુસ્સાનો પડછાયો કોઈના પર પડે તો તે કોઈના જીવનમાં ઉથલપાથલ મચાવી શકે છે
શનિ ગ્રહને ન્યાયનો કારક માનવામાં આવે છે
શનિદેવ ગુસ્સે થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં સાડાસાતી શરૂ થઈ જાય
આ રાશિઓમાં 2023ની શરૂઆતમાં શનિની સાડા સાતીની અસર શરૂ થશે
સજા અને ન્યાયનો સ્વામી ગણાતા શનિ ગ્રહને ન્યાયનો કારક માનવામાં આવે છે. જીવનમાં થનારી મોટાભાગની ઘટનાઓ શનિ મહારાજ સાથે જોડવામાં આવે છે. જીવનમાં જો કંઈપણ ખરાબ થાય તો ગમે એ વ્યક્તિના મોઢામાંથી નીકળે છે કે શનિની સાડા સાતી ચાલી રહી છે. જો કે હંમેશા એવું નથી હોતું. શનિદેવ વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. જો કે જ્યારે શનિદેવ ગુસ્સે થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં સાડાસાતી શરૂ થઈ જાય છે. શનિદેવના ગુસ્સાનો પડછાયો કોઈના પર પડે તો તે કોઈના જીવનમાં ઉથલપાથલ મચાવી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની રાશિ પરિવર્તન બાદ શનિ ઢૈયાની અસર કેટલીક રાશિઓ પર શરૂ થાય છે તો તેની સામે કેટલીક રાશિઓ પર તેની અસર સમાપ્ત થાય છે. જણાવી દઈએ કે કેટલીક રાશિઓમાં 2023ની શરૂઆતમાં શનિની સાડા સાતીની અસર શરૂ થશે તો તો કેટલીક રાશિઓને તેનાથી મુક્તિ મળશે.
આ રાશિઓ પર પડશે અસર
મિથુન
જ્યોતિષશાસ્ત્ર મુજબ 17 જાન્યુઆરી, 2023 ના રોજ જ્યારે શનિ ગોચર કરી કરશે ત્યારે મિથુન રાશિના લોકોને શનિ ઢૈયાથી મુક્તિ મળશે તેની પાછળ કારણ છે કે 29 એપ્રિલ2022 ના રોજ શનિના આગમનને કારણે કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિ ઢૈયા શરૂ થઈ હતી.
ધનુ
જ્યોતિષશાસ્ત્ર મુજબ 17 જાન્યુઆરી 2023 ના રોજ ધનુ રાશિના લોકોને શનિની સાડાસાતીમાંથી મુક્તિ મળશે.
કુંભ
કુંભ રાશિને 24 જાન્યુઆરી 2020 થી શરૂ થયેલી શનિ ઢૈયામાંથી 23 ફેબ્રુઆરી 2028 ના રોજ મુક્તિ મળશે.
મીન
29મી એપ્રિલ 2022ના રોજ શનિએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યા બાદ મીન રાશિના લોકો પર શનિની સાડાસાતી શરૂ થઈ હતી, જે 17મી એપ્રિલ 2030 સુધી રહેશે.
મકર
જ્યોતિષીય ગણતરી મુજબ મકર રાશિના લોકો પર 26 જાન્યુઆરી 2017ના રોજ શનિની સાડાસાતી શરૂ થઈ હતી જે 29 માર્ચ 2025 સુધી ચાલશે.
સાડાસાતી અને શનિ ઢૈયા શું છે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક મનુષ્યના જીવનમાં શનિની સાડાસાતી ત્રણ વખત આવે છે એ સિવાય સાથે જ શનિ ઢૈયાની અસર અઢી વર્ષ સુધી રહે છે. સાડાસાતી અને શનિ ઢૈયાકારણે વ્યક્તિને શારીરિક અને માનસિક તકલીફોનો સામનો કરવો પડે છે. એવી માન્યતાઓ છે કે સાડાસાતી અને શનિ ઢૈયા દરમિયાન કોઈ પણ ગરીબ અથવા અસહાય લોકોને પરેશાન કરવાને કારણે શનિ વધુ ક્રોધિત થઈ જાય છે.
સાડાસાતી અને શનિ ઢૈયાના ઉપાય
સાડાસાતી અને શનિ ઢૈયાના અશુભ પરિણામોથી બચવા માટે શનિ મહારાજને પ્રસન્ન રાખવા જોઈએ. એમ કરવાથી જીવન સરળતાથી ચાલી શકે છે. સાડાસાતી અને શનિ ઢૈય્યા આ સમયે શનિનું દાન, મંત્ર જાપ, પૂજા વગેરે કરવાથી ઘણી રાહત મળે છે. શાસ્ત્રોમાં શનિદેવને શાંત રાખવા માટે શનિબીજ મંત્રના ઓછામાં ઓછા ત્રણ પરિક્રમા કરવા જોઈએ અને મંત્રનો જાપ કરતા પહેલા સંકલ્પ કરવો જરૂરી છે.