11 ઓગસ્ટ શનિવારે વિશેષ સંયોગ બનવા જઇ રહ્યો છે. આ વખતે 11 ઓગસ્ટે શનિવારના દિવસે અમાસ છે. સાથે આ જ દિવસે સૂર્યગ્રહણ પણ છે. આ ઉપરાંત એ દિવસે હરિયાળી અમાસનો તહેવાર પણ છે. જ્યોતિષમાં શનિવારના દિવસે આવતી અમાસનું વિશેષ મહત્વ હોય છે. જેને શનૈશ્વરી અમાસ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં શનિ અમાસનુ વિશેષ પ્રભાવ પડે છે જેની કુંડળીમાં શનિની અશુભ છાયા અને પિતૃ દોષ હોય છે એ દિવસે કેટલાક ઉપાય કરવાથી આ દોષ ઓછો થઇ જાય છે.
શાસ્ત્રોમાં શનિની સાઢાસાતીને ઓછી કરવા માટે શનિ અમાસ પર શનિના બીજ મંત્ર ऊं प्रां प्रौं स: शनैश्चराय नम: और ऊं शं शनैश्चराय नम: નો જાપ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત એ દિવસે અડદ દાળ અને તલના તેલનું દાન કરવું જોઇએ એનાથી પિતૃ। દોષોથી છુટકારો મળે છે.
એવી માન્યતા છે કે જે ભક્ત હનુમાનજીની પૂજા કરે છે એને શનિ દેવ ક્યારેય પણ દુખ પહોંચાડતા નથી. શનિ અમાસ પર તેલ ચઢાવવા અને દીપક પ્રગટાવવાથી શનિ દોષ અને પિતૃદોષ સરળતાથી દૂર થઇ જાય છે.
શનિ અમાસના દિવસે કાળી ગાયની સેવા કરવાથી શનિ દોષથી મુક્તિ મળી જાય છે. આ દિવસે કાળી ગાયને રોટી ખવડાવવો અને માથા પર સિંદૂર લગાવો. શાસ્ત્રોમાં પીપળના ઝાડપર દેવતાઓનો વાસ માનવામાં આવ્યો છે. એવામાં શનિના દોષથી મુક્તિ મેળવવા માટે શનિ અમાસ પર પીપળ પર પાણી અને દીપક અર્પિત કરો.