રાજ્યમાં 'મહા' વાવાઝોડાંને લઇને તંત્ર એલર્ટ પર છે ત્યારે ભાવનગરમાં પણ તેની અસર જોવા મળી રહી છે. જેને લઇને હવે ભાવનગરમાં તંત્ર એલર્ટ થયું છે. જો કે વાવાઝોડાંની અસરના પગલે જિલ્લામાં ધુમ્મસભર્યું વાવાવરણ છવાયું છે.
મહા વાવાઝોડાને લઈને ભાવનગરમાં એલર્ટ
ઘોઘા, ન્યૂ પોર્ટ, અલંગ, મહુવા બંદર પર 2 નંબરનું સિગ્નલ
'મહા' વાવાઝોડાંની અસર ભાવનગર જિલ્લાના બંદર પર પણ જોવા મળી શકે છે. જેના પગલે તંત્ર દ્વારા ઘોઘા, ન્યૂ પોર્ટ, અલંગ, મહુવા બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. જો કે હાલમાં ભાવનગરનો દરિયો ઓટની સ્થિતિના કારણે શાંત થયો છે. જો કે 'મહા' વાવાઝોડાંના કારણે જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવારણ જોવા મળી રહ્યું છે.
પોરબંદર પર 2 નંબરનું સિગ્નલ યથાવત્
'મહા' વાવાઝોડાને લઈને રાજયભરમાં તંત્ર એલર્ટ પર છે. ત્યારે આજે પોરબંદરમાં પણ 'મહા' વાવાઝોડાને લઈને 2 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. ત્યારે વાવાઝોડાંને લઈને માછીમારોને દરિયો ન ખેડવાના સૂચના આપી દેવામાં આવી છે. માછીમારી માટે ગયેલી તમામ બોટ પરત ફરી છે.
રાજ્યમાં 'મહા' વાવાઝોડાંને લઇને તંત્ર એલર્ટ પર છે. ત્યારે સોમનાથ અને વેરાવળમાં તંત્ર દ્વારા NDRFની 15 ટીમો એલર્ટ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 6 થી 7 નવેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.