પહાડો પર હિમવર્ષા અને 40 દિવસથી ચાલી રહેલી ઠંડીના કારણે ઉત્તર ભારતમાં શિયાળાએ કહેર વરસાવ્યો છે. આવનારા 2 દિવસ ઠંડીનો પારો સતત ગગડવાની આશંકા રાખવામાં આવી છે. દિલ્હી, હરિયાણા, યૂપી સહિત અનેક વિસ્તારોમાં લોકોએ ઠંડીનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે ઠંડી અને ધુમ્મસના કહેરના કારણે ઉત્તરપ્રદેશમાં મંગળવારે 28 લોકોના મોત નીપજ્યા છે.
બે દિવસ સતત ગગડશે પારો
6 ડિગ્રી સાથે દિલ્હી ઠુંઠવાયું
યૂપીમાં ઠંડીનો કહેર, 1 દિવસમાં 28 લોકોના મોત
તાપમાનની વાત કરીએ તો મેદાની વિસ્તારોમાં હરિયાણાનું નારનોલ 1.7 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાનની સાથે સૌથી ઠંડું રહ્યું છે. પહાડો પર લદ્દાખના દ્રાસમાં પારો -26.7 ટકા નોંધાયો. દિલ્હીમાં પાલમમાં તાપમાન 7.2 અને વધારે તાપમાન 13 ડિગ્રી જોવા મળ્યું હતું. સફદરગંજમાં ન્યૂનતમ તાપમાન 8.3 અને અધિકતમ તાપમાન 14.3 ડિગ્રી જોવા મળ્યું.
યૂપીમાં ઠંડીએ વરસાવ્યો કહેર
યૂપીમાં મંગળવારે ઠંડી અને ધુમ્મસના કારણે 28 લોકોના મોત થયા છે. 4 ડિગ્રીની સાથે સૌથી ઠંડું શહેર રહ્યું છે. અનેક શહેરમાં ન્યૂનતમ પારો 2થી 7 ડિગ્રી રહ્યો હતો. સવારે ધૂમ્મસના કારણે 200 મીટર અને આસપાસના વિસ્તારોમાં પણ આ સ્થિતિ રહી હતી.
કયા વિસ્તારમાં કેટલા લોકોના થયા મોત
કાનપુરમાં 10, ફતેહપુર, ઓરૈયા અને કાનપુરમાં 2-2 લોકો, બુંદેલખંડ અને યૂપીમાં 17 લોકોના મોત થયા છે. જાલૌનમાં ધૂમ્મસ અને રેલ ટ્રેકના કામના કારણે ઈન્ટરસીટી એક્સપ્રેસ 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી બંધ રાખવામાં આવી છે. પ્રતાપગઢમાં પણ 1 યુવકનું મોત થયું છે. આ મોત ધૂમ્મસના કારણે થયેલા એક્સીડન્ટમાં થયું હતું. પ્રયાગરાજમાં ઠંડીના કારણે એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું.
ફ્લાઇટ કેન્સલ અને ડાયવર્ટ થઈ
ઠંડી અને ધૂમ્મસના કારણે 8 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે તો 11 ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી છે.
ક્યાં કેટલું રહ્યું તાપમાન
ગોરખપુરમાં તાપમાનનો પારો 6.9 ડિગ્રી પહોંચ્યો હતો. વેસ્ટ યૂપીમાં પણ રાતભર શહેર ધૂમ્મસથી ભર્યું હતું. મથુરામાં તાપમાન 5 ડિગ્રી નોંધાયું. પશ્ચિમ યૂપીમાં પારો 5.1 ડિગ્રી રહ્યો. જમ્મૂ કાશ્મીરમાં ઠંડીનો પારો -4 ડિગ્રી નોંધાયો. પહેલગામમાં -10.4 ડિગ્રી સાથે સૌથી ઠંડો દવિસ રહ્યો. ગુલમર્ગમાં તાપમાન -10.2 અને દક્ષિણ કાશ્મીરના કોકેરનાગમાં -6 તો કુપવાડામાં -4.3 ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો.