પૂણેના સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)માં તૈયાર કોવિશીલ્ડ રસીના એરલિફ્ટમાં ફરી મોડુ થયું છે. 48 કલાક મોડા થવાની સાથે તે રસી સોમવાર સુધીમાં ટ્રાન્સપોર્ટ થઈ શકી છે. રસીના પહેલા ગુરુવાર અને શુક્રવારે ટ્રાન્સપોર્ટ કરવાની હતી. આ દરમિયાન SII એ ભાવને લઈને કેન્દ્ર સરકારની સાથે કોઈ પ્રકારની સમજૂતિના કારણે ટ્રાન્સપોર્ટની પ્રક્રિયા મોડી થવાની વાતને ફગાવી કાઢી છે.
પૂણે એરપોર્ટના નિર્દેશક કુલદીપ સિંહે કહ્યું, કોવિશીલ્ડ રસીને લઈને શુક્રવારે પણ કોઈ પ્રકારની મૂવમેન્ટ નહોંતી થઈ. અમે અમારી તરફથી પૂરી રીતે તૈયાર છીએ. અમે સરળતાથી ટ્રાન્સપોર્ટેશનને હેન્ડલ કરી શકે છે. વર્તમાનમાં એક દિવસમાં 150 ટન કાર્ગોથી વધારે હેન્ડલ કરી શકે છે.
સરકાર તરફથી સત્તાવાર આદેશ મળવાની રાહ જોવાઈ રહી છે
ત્યારે નામ નહીં આપવાની શરતે એરલાઈન્સના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટેશને સોમવાર સુધી ટાળી દેવામાં આવ્યું છે. આ અંગે અમારી પાસે વધારે જાણકારી નથી. SIIની પાસે પુણે સ્થિત મંજારી પ્લાન્ટમાં 5 કરોડ ડોઝ તૈયાર છે. કંપનીને ભારત સરકાર તરફથી સત્તાવાર આદેશ મળવાની રાહ જોવાઈ રહી છે.
સરકારથી ભાવને લઈને કોઈ ભાવ તોલ નહીં
સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ એક ન્યૂઝ પેપર સાથે વાત કરતા જણાવ્યું કે અહીં ભાવને લઈને કોઈ સમજૂતિ કે ભાવ તોલ નથી થયો. રસીના ડોઝને ટ્રાન્સપોર્ટ પહેલા કેટલીક પ્રક્રિયાઓનું પાલન કરવાની જરુર હોય છે. જેમાં 2-3 સમય લાગી શકે છે.
પુનાવાલાએ જાહેરાત કરતા જણાવ્યું કે સરકારને કોવિશીલ્ડની પહેલા 10 કરોડ ડોઝ 200 રુપિયા પ્રતિ ડોઝના હિસાબે આપવામાં આવશે. માર્કેટમાં આ એક હજાર રુપિયા ડોઝના હિસાબે ઉપલબ્ધ રહેશે. પૂનાવાલાએ જણાવ્યું કે તેમની કંપની દર મહિને 5થી 6 કરોડ રસીના ડોઝ તૈયાર કરી રહી છે.
રસી પૂણાથી સ્પેશિયલ રીતે ડિઝાઈન કરવામાં આવેલા કન્ટેનરમાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવશેય તેમણે જણાવ્યું કે શિડ્યુલ એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જેને કોરોનાની રસીના ડોઝને 24 કલાકની અંદર ઉપયોગમાં લઈ શકાય. પૂના એરપોર્ટ પ્રાધિકરણ પણ રસીને સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન માટે સ્પેશલ સ્લોટ ખોલવાને લઈને કાર્ગો ફ્લાઈટ્સ જેવા ઓપ્શન તૈયાર કરી રહ્યા છે.