મુંબઇ: કોંગ્રેસ નેતા મિલિંદ દેવડાએ કરેલા વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો સામે આવ્યો છે. મુંબઈ કોંગ્રેસની સ્થિતિને લઈને મિલિંદ દેવડાએ ચિંતા વ્યક્ત કરી હતી. મિલિન્દ દેવડાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે પાર્ટીની અંદર જે વિખવાદ ચાલી રહ્યો છે તેનાથી મુંબઈ કોંગ્રેસના જનાધાર ખતરામાં પડી શકે છે.
દેવડા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવે છે. તેમના આ નિવેદનથી ખાસ કરીને મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમમનો મતભેદનો મામલો સામે આવ્યો છે. તો મિલિંદ દેવડાએ આગામી લોકસભા ચૂંટણી લડવાના પણ સંકેત આપ્યા છે. મિલિન્દ દેવડાએ ટ્વીટ કર્યુ હતું કે જોકે પાર્ટીની અંદરની વાતો મને જાહેર કરવામાં કોઈ રસ નથી.
While I do not intend to discuss internal party affairs in public remarks made in a recent interview have forced me to repeat my strong commitment towards the need for the Mumbai Congress to remain a symbol of Mumbai’s diversity and to strengthen its social fabric.
દેશના આર્થિક અને સાંસ્કૃતિક શહેર મુંબઈમાં આપણે સૌએ સાથે આવવાની જરૂર છે. મુંબઈમા કોંગ્રેસ સાંપ્રદાયિક રાજાકરણ માટે એક ક્રિકેટ પીચ બની શકે છે. જેના પર એક નાતે બીજા વિરૂદ્ધ ઉભા કરવામા આવે.
તેઓએ ટ્વીટમાં લખ્યું છે કે જે થઈ રહ્યું છે તેનાથી હું હતાશ છું અને પાર્ટી લોકસભા ચૂંટણી લડવા માટે મારા વલણથી અવગત છે. જોકે મને મારા કેન્દ્રીય નેતૃત્વ અને પાર્ટીની વિચારધારા તથા સિદ્ધાંતો પ્રતિ સંપૂર્ણ વિશ્વાસ છે. ખાસ કીરને મુંબઈમાં કે જ્યાં કોંગ્રેસનો જન્મ થયો હતો.