10 વર્ષ પહેલા આજના જ દિવસે ક્રિકેટના ઈતિહાસનો એક મોટો રેકોર્ડ બનતા રહી ગયો હતો. તે વર્લ્ડ રેકોર્ડના સાક્ષી બનવા તે દિવસે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ પહોંચેલા હજારો દર્શકો નિરાશ થયા હતા. જી હાં, અમે અહીં વાત કરી રહ્યાં છે ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગ વિશે. તેઓ 4 ડિસેમ્બર, 2009ના રોજ એક એવો રેકોર્ડ ચૂકી ગયા હતા, જે આજ સુધી કોઈ બનાવી શક્યું નથી.
સેહવાગ ત્રીજી ટ્રીપલ સેન્ચ્યૂરી ચૂકી ગયો હતો
મુરલીધરન તેના જ બોલ પર કેચ આઉટ થયો હતો
ટ્રીપલ સેન્ચ્યૂરી ચૂકી જવું આજે પણ ભારતીય પ્રશંસકોને નિરાશ કરે છે
ત્રીજી ટ્રિપલ સેન્ચ્યૂરી કોઈ બનાવી શક્યું નહી
હકીકતમાં, ટેસ્ટ ક્રિકેટમાં બે ટ્રિપલ સેન્ચ્યૂરી ફટકારનાર વિરેન્દ્ર સેહવાગ ત્રીજી ટ્રિપલ સેન્ચ્યૂરીની નજીક પહોંચી ગયો હતો. જો તે ફરી 300નો જાદુઈ આંકડો હાંસલ કરી શક્યો હોત, તો તે ત્રીજી ટ્રિપલ સેન્ચ્યૂરી ફટકારનાર વિશ્વનો પહેલો બેટ્સમેન બન્યો હોત. ડોન બ્રેડમેન, બ્રાયન લારા, ક્રિસ ગેલ અને વિરેન્દ્ર સેહવાગના નામે ટેસ્ટ ક્રિકેટમાં બે-બે ટ્રીપલ સેન્ચ્યૂરી છે, પરંતુ ત્રીજી ટ્રિપલ સેન્ચ્યૂરી કોઈ બનાવી શક્યું નહી.
મેદાનમાં સન્નાટો છવાઈ ગયો હતો
શ્રીલંકા સામેની તે ટેસ્ટ મેચના બીજા દિવસે 284 રન બનાવીને અણનમ પરત ફરનાર સેહવાગ બીજા દિવસે ટ્રીપલ સેન્ચ્યૂરી ફટકારીને ઈતિહાસ રચશે તેવી આશા હતી. પરંતુ ત્રીજા દિવસે ચોથી ઓવરમાં જે બન્યું તેનાથી વીરુનું સ્વપ્ન તૂટી ગયું. સેહવાગના 293 રન સ્કોર બોર્ડ પર નોંધાયા હતા કે મહાન ઓફ સ્પિનર મુથૈયા મુરલીધરને તેની પોતાની બોલ પર કેચ પકડ્યો હતો અને મેદાનમાં સન્નાટો છવાઈ ગયો હતો.
ટ્રીપલ સેન્ચ્યૂરી ચૂકી જવું આજે પણ ભારતીય પ્રશંસકોને નિરાશ કરે છે
મેચના ત્રીજા દિવસે સેહવાગ 9 જ રન બનાવી શક્યો હતો. 54 બોલમાં 40 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 293 રનની તોફાની રમત સાથે વાપસી કરી રહેલાં સેહવાગનું સ્ટેડિયમ ખાતે હાજર દર્શકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ ટ્રીપલ સેન્ચ્યૂરી ચૂકી જવું આજે પણ ભારતીય પ્રશંસકોને નિરાશ કરે છે.