ટેકનોલોજીની આ દુનિયામાં આજે કાંઇપણ અસંભવ નથી. વૈજ્ઞાનિકોએ દરેક કામને સંભવ બનાવી દીધું છે. ત્યારે હવે તેલંગણાના સિકંદરાબાદ રેલવે સ્ટેશને જ જોઇ લો. ત્યાં હવામાંથી પાણી બનાવીને વેચાણ કરવામાં આવે છે.
સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર મળે છે હવામાંથી બનેલું પાણી
એક બોટલના માત્ર પાંચ રૂપિયા
જો તમે બોટલ સાથે પાણીની ખરીદી કરશે તો તેના માટે તમારે આઠ રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે જ્યારે પોતાની બોટલમાં પાણી ભરવાનો ચાર્જ માત્ર 5 રૂપિયા જ વસૂલવામાં આવે છે.
દરરોજ તૈયાર થાય છે 1000 લીટર પાણી
રેલવે સ્ટેશન પર મળી રહેલા આ પાણીને મેઘદૂત ટેકનીકથી તૈયાર કરવામાં આવે છે. જળ શક્તિ મંત્રાલય દ્વારા આ ટેકનીક સ્વાસ્થ્યને અનુકુળ અને સુરક્ષિત જાહેર કરવામાં આવેલ છે. દક્ષિણ સેન્ટ્રલ રેલવે દ્વારા ગુરૂવારે સિકદંરાબાદ રેલવે સ્ટેશન પર આ મશીન લગાડવામાં આવી છે જે ઓટોમેટિક વોટર જનરેટ કરીને દરરોજ 1000 લીટર પાણી તૈયાર કરે છે જે હંમેશા તાજું રહે છે.
મેક ઇન ઇન્ડિયા હેઠળ હાથ ધરાયો પ્રોજક્ટ
Continuing its Pioneering role in environment conservation, SCR introduces first-of-its kind Atmospheric Water Generator with Remineralizer at #Secunderabad Rly station. The unit harvests drinking water from air and is another innovative step towards development of Green Railways pic.twitter.com/T3La7P0pIr
હવાથી પાણી નીકળવાની આ મેઘદૂત ટેકનીકને મૈત્રી એકાટેક દ્વારા મેક ઇન ઇન્ડિયા હેઠળ વિકસાવવામાં આવ્યું છે. રેલવે અધિકારીના જણાવ્યા મુજબ, આ મશીન પર્યાવરણને અનુકુળ છે અને દરેક મોસમમાં કામ કરી શકે છે. આ સિવાય કોઇપણ પાણીના સ્ત્રોત પર નિર્ભર છે.
કેવી રીતે કામ કરે છે આ મશીન ?
હવા એક પ્રણાલીના માધ્મયથી મશીનમાં ઘૂસે છે અને તે મશીન બારીકાઇથી હવામાં રહેલા દૂષિત પદાર્થોને હટાવે છે. ત્યારબાદ મશીનથી નીકળતી હવા કુલિંગ ચેમ્બરમાં પ્રવેસે છે જેમાં હવા ઠંડી થાય છે. આ ઠંડી હવા પાણીમાં પરિવર્તીત થાય છે અને એક-એક ટીપા સ્વરૂપે તે ટેન્કમાં જમા થાય છે.