DRDO 8 નવેમ્બરે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના દરિયા કિનારે કે-4 ન્યૂક્લિયર મિસાઈલનું પરિક્ષણ કરવાની છે. આ ટેસ્ટ પાણીની અંદર બનેલા પ્લેટફર્મ પરથી કરવામાં આવશે. DRDOએ મિસાઈલને અરિહંત ક્લાસ ન્યૂક્લિયર સબમરીન્સ માટે બનાવી છે. મિસાઈલ 3,500 કિમી દૂર દુશ્મનને મારવાની ક્ષમતા રાખે છે.
ભારતની તાકાતમાં વધુ એક છોગું ઉમેરાશે
DRDO 8 નવેમ્બરે કરશે કે-4 મિસાઇલનું પરિક્ષણ
કે-4 દેશની બીજી અંડર વોટર મિસાઈલ
કે-4 દેશની બીજી અંડર વોટર મિસાઈલ છે. આ પહેલાં 700 કિમી મારક ક્ષમતાવાળી BO-5 મિસાઈલ તૈયાર કરાઈ હતી. સૂત્રોના મતે કે-4નું પરિક્ષણ ગયા મહિને રાખવામાં આવ્યુ હતું. પરંતુ કોઈ કારણસર પછી તે પાછું કરાયું હતું.
આર્મ્ડ સબમરીનવાળો ભારત વિશ્વનો છઠ્ઠો દેશ
DRDO આગામી થોડા સપ્તાહમાં અગ્નિ-3 અને બ્રમ્હોસ મિસાઈલના પરિક્ષણની યોજના પણ બનાવી રહી છે. દેશમાં બનેલી પહેલી ન્યૂક્લિયર આર્મ્ડ સબમરીન INS અરિહંતને ઓગસ્ટ 2016માં નેવીના ગ્રૂપમાં સામેલ કરાઈ હતી. ન્યૂક્લિયર આર્મ્ડ સબમરીનવાળો ભારત વિશ્વનો છઠ્ઠો દેશ છે. આ સિવાય અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીનની પાસે પણ સબમરીન છે.
India to test-fire 3,500 km range K-4 nuclear missile
કે-4 એ બે અંડરવોટર મિસાઇલોમાંથી એક છે જેને ભારતમાં વિકસિત કરવામાં આવેલ છે. બીજી મિસાઇલ 700 કિલોમીટર રેન્જ ધરાવે છે, જેને બીઓ-5 તરીકે ઓળખવામાં આવે છે. જો કે અત્યારે એ બાબતની સ્પષ્ટતા થઇ શકી નથી કે શુક્રવારનાં ડીઆરડીઓ મિસાઇલની સંપૂર્ણ રેન્જ પર ટેસ્ટ કરશે કે પછી ઓછી રેન્જ પર જ આને ફાયર કરવામાં આવશે.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર એરચેરમેન નોટિસ અને મરીન સર્વિસેઝને લાંબી યાદી ધરાવતી મિસાઇલ ટેસ્ટ સંબંધી ચેતવણી આપવામાં આવી આવી હતી. ઉલ્લેખનીય છે કે મિસાઇલનું પરીક્ષણ ગત મહિને જ થવાનું હતુ, પરંતુ કેટલાક કારણોથી આને ટાળી દેવામાં આવ્યું હતુ.