પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમ (Pradhan mantri Kisan Samman Nidhi Scheme)ની બીજા હપ્તાને મંજૂરી મળી ગઇ છે. આ જ સપ્તાહે તે તમામ ખેડૂતોનાં ખાતામાં બીજો હપ્તો આવી જશે કે જેનું રજિસ્ટ્રેશન ચૂંટણી આચાર સંહિતા લાગતા પહેલાં જ થઇ ગયું હતું.
કૃષિ મંત્રાલય અનુસાર, 10 માર્ચ પહેલાં 4.75 કરોડ ખેડૂતોનું રજિસ્ટ્રેશન થઇ ચૂકેલ છે. જ્યારે સવા સાત કરોડ ખેડૂતોને આનો લાભ ચૂંટણી બાદ જ મળી શકશે. રાજ્યોએ 4.5 કરોડ ખેડૂતોનો ડેટા મોકલ્યો હતો, જૂન સુધી 12 કરોડ ખેડૂતોને રૂપિયા 2000નો હપ્તો મળશે. ચૂંટણી આયોગથી સરકારે મંજૂરી લેવાંની કોઇ જ જરૂરિયાત નથી.
કૃષિ મંત્રાલયનાં અધિકારીઓએ એક ખાનગી ન્યૂઝ ચેનલને સ્પષ્ટપણે કહી દીધું છે કે આ સ્કીમ અંતર્ગત બે-બે હજાર રૂપિયાનો પ્રથમ હપ્તો અંદાજે 2 કરોડ ખેડૂતોનાં બેંક એકાઉન્ટમાં પહોંચી ગયેલ છે. બીજા હપ્તા માટે ભ્રમ ફેલાઇ રહ્યો હતો કે ખબર નહીં પરંતુ બીજા હપ્તાનાં પૈસા આવશે કે નહીં. આને માટે કૃષિ મંત્રાલયે ચૂંટણી આયોગ પાસે અનુમતિ માંગી હતી.
ત્રીજા હપ્તા માટે જરૂરી હશે આધારકાર્ડ!
આ સ્કીમનો પ્રથમ હપ્તા માટે આધાર જરૂરી ન હોતું. બાદમાં બીજા હપ્તા માટે નંબર જરૂરી કરવામાં આવ્યાં પરંતુ બાયોમેટ્રિક વેરીફિકેશનમાં છુટછાટ આપવામાં આવી છે. આનું વેરિફિકેશન ત્રીજો હપ્તો મળે તે પહેલાં થશે. ત્યાં સુધી લોકસભા ચૂંટણી વીતી ગયેલ હશે અને ખેડૂતોનાં એકાઉન્ટમાં ચાર-ચાર હજાર રૂપિયા આવી ગયાં હશે.
સરકારે બીજા હપ્તા માટે આધાર બાયોમેટ્રિક લેવામાં કેમ ઢીલ આપી? તેનાં વિશે કૃષિ મંત્રાલયનાં અધિકારીઓએ જાણકારી આપી છે. કૃષિ મંત્રાલયનાં એક નિવેદનમાં લખવામાં આવેલ છે, 'જો કે બીજા હપ્તા માટે ટકાવારી મુજબ આધાર ડેટા મેળવવો એ કઠિન છે કેમ કે આને માટે બાયોમેટ્રિક પ્રમાણની જરૂરિયાત છે. નામોની જોડણીમાં અંતરથી પણ મોટાં સ્કેલ પર લાભાર્થીઓનાં નામ રદ્દ થઇ જશે.