નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાઅધિવેશનનો આજે અંતિમ દિવસ છે. ત્યારે સંગઠનને મજબૂત બનાવવા માટે કોંગ્રેસ પોતાના નેતાઓ સાથે ચર્ચા કરશે.
સાથે જ 2019ની ચૂંટણી માટે વ્યૂહરચના ઘડી સમાન વિચારધારાવાળા પક્ષ સાથે ગઠબંધન માટે રણનીતિ પણ તૈયાર કરશે. તો આગામી 5 વર્ષ માટેની સંગઠનની દશા અને દિશા પણ નક્કી કરવામાં આવશે.
તો આજે જ પી.ચીદમ્બરમ આર્થીક બાબતોને લઈને અધિવેશનમાં પ્રસ્તાવ પણ રજૂ કરશે. જ્યારે આનંદ શર્મા આંતર રાષ્ટ્રીય બાબતોને લઈને પ્રસ્થાવ રજૂ કરશે.