બજાર નિયામક સેબી (SEBI)એ આજે મ્યુચ્યુઅલ ફંડ્સને લઈને એક લેટર જાહેર કર્યો છે. તેના આધારે હવે મલ્ટીકેપ ફંડ્સના પોર્ટફોલિયો સ્ટ્રક્ચરમાં ફેરફાર આવશે. તેમાં લાર્જ, મિડ અને સ્મોલ કેપના એલોકેશનને ઓછામાં ઓછા 25 ટકા રાખવાનું અનિવાર્ય રહેશે.
SEBIએ મ્યુચ્યુઅલ ફંડ્સમાં કર્યા ફેરફાર
મલ્ટીકેપ ફંડ્સના પોર્ટફોલિયોમાં આવશે ફેરફાર
જાણો નવા નિયમો અને ફેરફાર
SEBIએ શુક્રવારે એક સરક્યુલર જાહેર કરીને મલ્ટી કેપ ફંડ્સના પોર્ટફોલિયો સ્ટ્રક્ચરને વિશે જાણકારી આપી છે. આ રીતે સ્કીમ્સને લાર્જ, મિડ અને સ્મોલ કેપ્સમાં ઓછામાં ઓછા 25 ટકાની રકમનું રોકાણ કરવાનું રહેશે. માર્કેટ કેપિટલાઈઝેશનના આધારે ટોપ 100 કંપનીઓના સ્ટોક્સ લાર્જ કેપમાં આવે છે. ત્યારબાદ 150 સ્ટોક્સ મિડ કેપ્સ અને આવનારા 250 સ્ટોક્સ સ્મોલ કેપ્સની શ્રેણીમાં આવે છે. અત્યારની સ્કીમ્સને જાન્યુઆરી 2021 સુધી તેનું પાલન કરવાનું શરૂ કરવાનું રહેશે. ડિસેમ્બર 2020 સુધી એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅસ ફંડ્સ ઈન ઈન્ડિયા લાર્જ, મિડ અને સ્મોલ કેપ્સ શ્રેણીમાં આવનારા સ્ટોક્સનું નવું લિસ્ટ પબ્લિશ કરશે.
શું છે અત્યારના નિયમો
અત્યારે મલ્ટી કેપ ફંડ્સમાં એલોકેશનને લઈને સેબીનો નિયમ નક્કી કરતો નથી કે લાર્જ, મિડ અને સ્મોલ કેપ્સમાં કેટલા ટકા રોકાણ કરવાનું છે. આ રીતે ફંડ્સને ઉચ્ચ સત્રની ફ્લેક્સિબિલિટી મળી છે જે આ માર્કેટ કેપ્સના આધારે ભાગીદારીને વધારી કે ઘટાડી શકે છે.
આ રીતે PPFAS લોન્ગ ટર્મ ઈક્વિટી પોતાના પોર્ટફોલિયોનો 35 ટકા ભાગ ઈન્ટરનેશનલ સ્ટોક્સમાં પણ રોકે છે. જો કે નવા સરક્યુલરમાં એવી કોઈ જાણકારી મળી નથી કે આ રીતના સ્ટોક્સ કઈ કેટેગરીમાં સામેલ થશે.
નવા નિયમથી થશે ફાયદો
એક્સપર્ટ્સનું કહેવું છે કે મલ્ટી કેપને લઈને નવો સરક્યુલર તેનાથી સારું લેવલ દર્શાવે છે. આ ફંડ્સમાં વધારે ભાગ લાર્જ કેપનો છે. આ કારણ છે કે મલ્ટી કેપ અને લાર્જ કેપમાં અંતર કરવાનું મુશ્કેલ છે. અત્યારે દર મલ્ટી કેપમાં લગભગ 70 ટકા લાર્જ કેપ સ્ટોક્સ છે. મિડ કેપ માટે આ આંક 22 ટકા અને સ્મોલ કેપ માટે 8 ટકા છે. અનુમાન રાખવામાં આવી રહ્યું છે કે નાના સમયમાં મિડ અને સ્મોલ કેપ્સમાં લિક્વિડિટીની સમસ્યા આવી શકે છે.
AUM પણ થશે શિફ્ટ
અત્યારે મલ્ટી કેપના એસેટ અંડર મેનેજમેન્ટની વાત કરીએ તો તે 1.46 લાખ કરોડ રૂપિયાનું છે. એવામાં આ સરક્યુલર પછી આશા રાખવામાં આવી રહી છે કે તેમાંથી લગભગ 30 હજાર કરોડ રૂપિયા આવનારા થોડા મહિનામાં મિડ અને સ્મોલ કેપ્સમાં શિફ્ટ થશે. સેબીના નવા નિયમોના આધારે આ ફંડ્સનું એલોકેશન 30 ટકાથી વધારીને 50 ટકા કરાયું છે.