શિક્ષણ વિભાગનો વધુ એક છબરડો સામે આવ્યો છે. GSEB.orgની વેબસાઈટ પર ગુણ ચકાસણી માટે આજની તારીખ એટલે કે 3 જૂનની તારીખ મુકાતા વિધાર્થીઓ પરેશાન થયા હતા. જોકે ત્યારબાદ વેબસાઈટ પરથી તારીખ દૂર કરવામાં આવી હતી.
સમગ્ર મામલે ભુજના વાલીઓ વિધાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા પરંતુ રવિવારની રજા હોવાથી વાલીઓ પરત આવ્યા હતા. શિક્ષણ વિભાગના છબરડાથી વાલીઓ વિધાર્થીઓને હેરાનગતિ થઇ હતી.
ઉલ્લખનીય છે કે ગત થોડા દિવસો પહેલાં ધોરણ-12 અને ધોરણ-10 સામાન્ય પ્રવાહનું પરિણામ વેબસાઇટ પર જાહેર ગયું હતુ. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.75 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ 10ની પરીક્ષા 11 લાખ 3 હજાર વિદ્યાર્થીઓએ આપી હતી.