કોરોના વાયરસના બદલાતા રૂપને લઈને હવે વૈજ્ઞાનિકોએ રાહતના સમાચાર આપ્યા છે. તેઓએ કોરોના વાયરસના મ્યૂટેશનની પેટર્નને સમજી લીધી છે, ભવિષ્યમાં તેની મદદથી જાણી શકાશે કે કેવી રીતે કોરોના વાયરસ વેક્સીન અને સારવારની પદ્ધતિથી બચી રહ્યો છે.
કોરોના વાયરસ વેક્સીન અને સારવારની પદ્ધતિથી બચે છે તેની મળશે જાણકારી
મળતી માહિતી અનુસાર અમેરિકાની યૂનિવર્સિટી ઓફ પિટ્સબર્ગના વૈજ્ઞાનિકોએ શોદ્યું છે કે કોરોના વાયરસ તેના જીનેટિક્સ સિક્વન્સના આધારે એ ભાગને ખતમ કરી રહ્યું છે જેનાથી તેના બહારના હિસ્સા એટલે કે સ્પાઈક પ્રોટીનનો શેપ બદલાય છે.
શું હોય છે સ્પાઈક પ્રોટીન
કોરોના વાયરસના બહારના કાંટાળી પરતને સ્પાઈક પ્રોટીન કહે છે. આ શરીરની કોશિકાઓ સાથે ચોંટે છે. તેનાથી કાંટાળી કોશિકાઓની બહારની પરતને ભેદીને વાયરસની અંદર રહેતા જીનોમને કોશિકાઓની અંદર છોડાય છે. આ પછી કોરોના વાયરસ શરીરમાં એન્ટીબોડી સાથે સંઘર્ષ કરે છે કે પછી પોતે વિકસિત કરીને અન્ય વાયરસ જન્માવે છે.
સ્ટડીમાં સામે આવી આ વિગતો
આ સ્ટડી વિજ્ઞાન જર્નલમાં પ્રકાશિત થયો છે. તેમાં સાયન્ટિસ્ટે સ્પાઈક પ્રોટીનના 1.50 લાખ જીન સિકવન્સને જમા કર્યા. આ સિકવન્સ દુનિયાભરથી લેવાય. સ્ટડીમાં ખ્યાલ આવ્યો કે અનેક વેરિઅંટ ડિલિશન મ્યૂટેશન કરી રહ્યા છે. પોતાના જીનેટિક્સ સિક્વન્સ તેના ભાગને ખતમ કરે છે જેનાથી બહારનું લેયર તૈયાર થાય છે. આ સિવાય તેમાં એમ પણ જાણવા મળ્યું છે કે વાયરસ જે રીતે વેક્સીન અને એન્ટીબોડીથી પોતાને બચાવે છે કે પછી દગો કરે છે તે સિલેક્ટિવ પ્રોસેસ છે. દુનિયા ભરના સિકવન્સની સ્ટડી બાદ સાયન્ટિસ્ટને ખ્યાલ આવ્યો કે દુનિયામાં લગભગ 9 વેરિએન્ટ એવા છે જે કોરોના દર્દીઓે માટે ચિંતાનો વિષય છે.
કોરોનાના નવા મ્યૂટેશનનું રૂપ ખતરનાક છે
સ્ટડીમાં જાણવા મળ્યું છે કે કોરોનાના નવા મ્યૂટેનનું રૂપ ખતરનાક છે. આ કોઈ પણ વેક્સીન અને એન્ટીબોડીના ન્યૂટ્રી લાઈઝિંગ કેપેસિટી એટલે કે હુમલો કરવાની તાકાતથી પોતાને બચાવે છે. કોઈ દર્દીની પ્રતિરોધક ક્ષમતા ઓછી છે તો તેઓ 74 દિવસથી સંક્રમિત હોઈ શકે છે અને તેમનું મોત થાય છે. એટલે કે વાયરસથી બચવાનો કોઈ રસ્તો નથી.
આ રીતે કરે છે શરીરમાં અસર
કોરોના વાયરસ અને માનવનું શરીરની ઈમ્યુનિટીની વચ્ચે રમત ચાલતી રહે છે. સાયન્ટિસ્ટ તેને સમજવાની કોશિશ કરી રહ્યા હતા. તેઓએ જ્યારે શોધ્યું કે કઈ રીતે કોરોના વાયરસ પોતાને મ્યૂટેટ કરી રહ્યો છે ત્યારે તેઓ ચિંતામાં આવી ગયા. આ ઈવોલ્યૂશન ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. આ રીતે આખી દુનિયાને બચાવવા નવી નવી વેક્સીન જોઈશે અને સારવારની રીત પણ બદલવી પડશે.