વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં તથ્ય મેળવ્યું કે પ્રદૂષણ વધવાના કારણે પણ કોરોના વધે છે.
કોરોનાને લઈને થયો ચોંકાવનારો ખુલાસો
પ્રદૂષણ વધવાની સાથે જ વધે છે કોરોના પણઃરિસર્ચ
વૈજ્ઞાનિકો કરી રહ્યા છે તપાસ
દુનિયામાં તબાહી મચાવી દેનારા કોરોના વાયરસ પર વૈજ્ઞાનિકો પર હજુ પણ રિસર્ચ ચાલુ છે. આ સમયે વાયરસના એક નાના કણથી વધીને અનેક તથ્યો સામે આવી રહ્યા છે. Journal of Exposure Science and Environmental Epidemiologyમાં છપાયેલા એક રિસર્ચમાં ખુલાસો કરાયો છે કે કોરોના વાયરસના ફેલાવવામાં પ્રદૂષણના કારણો પણ જવાબદાર છે. જ્યારે પ્રદૂષણ વધે છે ત્યારે વાયરસને પગપસારવાનો અવસર મળે છે.
શું કહે છે વૈજ્ઞાનિકો
આ રિસર્ચ Desert Research Instituteની તરફથી કરાયો છે. ટીમમાં સામેલ Daniel Kiserનું કહેવું છે કે નેવાડાના રેનો વિસ્તારમાં આગના કારણે પ્રદૂષણ ફેલાયું અને અહીં કોરોનાનો પોઝિટિવિટી રેટ વધ્યો છે. કોરોનાનો કેસમાં 18 ટકાનો વધારો નોંધાયો છે.
ધુમાડા અને પ્રદૂષણના કારણે કોરોના વકરી શકે છે
Reno Gazette Journalએ વાત કરતા જણાવ્યું કે પ. અમેરિકામાં 80થી વધારે જંગલની આગના કેસ નોંધાયા છે. આ કારણે ધુમાડો અને પ્રદૂષણ પણ વધ્યું છે. રિસર્ચના પરિણામોના બાદ લોકો મહામારીના વિરોધમાં વેક્સિનેશન કરાવશે અને માસ્ક પહેરીને વાયરસનો સામનો કરે તે જરૂરી છે. જંગલી આગથી વાતાવરણમાં 2.5 માઈક્રોમીટરથી પણ વધારે નાના પાર્ટિકલ્સ ફરી રહ્યા હતા. વૈજ્ઞાનિકોએ આ પાર્ટિકલ્સની વચ્ચે નવા કોરોના વાયરસ હોવાનું જણાવ્યું છે.
ભેજ અને ગરમી કોરોના વાયરસને ફેલાવવામાં કરે છે મદદ
આ સ્ટડીમાં સામેલ University of California ના વાયુ પ્રદૂષણ વિશેષજ્ઞ Kent Pinkertonનું કહેવું છે કે ભેજ, વાયુ પ્રદૂષણ, જળવાયુ પરિવર્તન જેવા કેસ કોરોના વધારે છે. તેમનું કહેવું છે કે પ્રદૂષણના નાના પાર્ટિકલ્સની સાથે કોરોના શ્વાસની મદદથી શરીરમાં સરળતાથી પહોંચે છે. સ્ટડી કહે છે કે જંગલની આગથી પ્રદૂષણ વધવાથી અમેરિકામાં કોરોનાના કેસ વધ્યા છે. દુનિયામાં અન્ય ભાગમાં પણ વાયુ પ્રદૂષણથી ડેડલી વાયરસને વધવાની તક મળે છે.