વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે એલિયન ધરતી પર આવી રહ્યાં છે. જો એલિયન્સ ધરતી પર આવી ગયાં તો લોકોની શું પ્રતિક્રિયા રહેશે? સેંટ એન્ડ્ર્યુઝ યુનિવર્સિટીનાં એક ગ્રુપએ કહ્યું છે કે લોકોએ એલિયન સાથેની મુલાકાત માટે તૈયાર રહેવું પડશે.
સ્કોટલેન્ડમાં એક ગ્રુપ કરી રહ્યું છે અનોખી ખોજ
એલિયન્સનાં વિષયે કરશે રિસર્ચ
SETI કેન્દ્રનાં કોઓર્ડિનેટર ડો.જ્હોન ઇલિયટએ આપી માહિતી
એડિનબર્ગ: વૈજ્ઞાનિકો હંમેશા અંતરિક્ષમાં વિવિધ ગ્રહોની શોધખોળ કરતાં રહે છે કે જ્યાં જીવન સંભવ હોય. હવે કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો અન્ય ગ્રહ પર જીવન શક્ય છે તો ત્યાં એલિયનનું હોવું પણ શક્ય છે. સ્કોટલેન્ડમાં સેંટ એન્ડ્ર્યુઝ યુનિવર્સિટીમાં એક ગ્રુપ આ મુદે્ એક યોજના બનાવવા ઇચ્છે છે કે જો પૃથ્વી પર એલિયન્સ આવે છે તો તેની કઇ રીતે પ્રતિક્રિયા આપવી.
SETI કેન્દ્રમાં કરશે ખોજ
આ ગ્રુપનું પ્રારંભિક કાર્ય યુનિવર્સિટીનાં એક નવા શોધ કેન્દ્રમાં થશે જે બીજા ગ્રહો પર એલિયન્સની શોધખોળ માટે સમર્પિત છે. કોમ્પ્યૂટર વૈજ્ઞાનિક અને SETI પોસ્ટ-ડિટેક્શન હબનાં કોઓર્ડિનેટર ડો.જ્હોન ઇલિયટનું કહેવું છે કે, 'સાયન્સ ફિક્શનની ફિલ્મસ્ એલિયનનાં જીવનની ખોજ અને તેના પ્રભાવથી ભરેલી છે.પરંતુ આપણે તેનો માનવજીવન પર પડતાં પ્રભાવ સિવાય પણ વિચારવાની આવશ્યકતા છે.' વધુમાં તેમણે કહ્યું કે,'અમને ન કેવળ પુરાવાઓનાં આંકલન માટે પરંતુ માનવ સમાજની પ્રતિક્રિયા પર વિચાર કરવા માટે અમારા એક્સપર્ટ જ્ઞાનને સમન્વિત કરવાની આવશ્યકતા છે કારણ કે તેના લીધે અમારી સમજણ વધે છે.'
તૈયારી અત્યારથી જ કરવી પડશે શરૂ
તેમણે આગળ જણાવ્યું કે 'તૈયારી કરવાનો આ એકદમ યોગ્ય સમય છે એલિયન્સથી જોડાયેલા સિગ્નલને સ્કેન કરવું અને અર્થને એકસાથે સંલગ્ન કરવું, એક વિસ્તૃત અને સમય લેનારી પ્રક્રિયા છે. તેને સમજતા દરમિયાન આપણું જ્ઞાન ઘણાં ચરણોમાં વિકસિત થશે. '
'એલિયન્સ વિશે ખબર પડી તો શું થશે?'
ગ્રુપનું કહેવું છે કે આ બાબત પર ઘણું ઓછું ધ્યાન દેવામાં આવ્યું છે કે, ''જો એલિયન્સના વિશે ખબર પડશે તો શું થશે?'. સંયુક્ત રાષ્ટ્રમાં એસ્ટેરોયડનાં પ્રભાવ અને ખતરાંથી બચાવવાવાળી પ્રતિક્રિયાઓની માહિતી છે પરંતુ એલિયન્સને લઇને કોઇ માહિતી નથી.''
એલિયનથી મળવા તૈયાર નથી માણસો
જૂનમાં નાસાએ ઘોષણા કરી કે 'તે UFOને લઇને પોતાનું પહેલું અધ્યયન શરૂ કરી રહી છે. વૈજ્ઞાનિકો આ દરમિયાન UFOનાં વર્તમાન ડેટાને જોઇ રહ્યાં છે. તેમાં તેઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે UFO સાથે સંકળાયેલ કઇ ઘટના એવી છે કે જે પ્રાકૃતિક છે અને કોના વિશે આગળ શોધખોળ કરવાની જરૂર નથી.'