દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વરિષ્ઠ નાગરિકોને એક મોટી ભેટ આપી છે. એસબીઆઈએ વરિષ્ઠ નાગરિકો માટે સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ લંબાવી દીધી છે. મે મહિનામાં બેંકે સિનિયર સિટિઝન્સ સએસબીઆઈની 'વીકેયર' સિટિઝન્સ ટર્મ ડિપોઝિટ સ્કીમની જાહેરાત કરી હતી. હાલમાં ઘટતા વ્યાજદરને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ નાગરિકોને ઊંચું વ્યાજદર આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ એફડી યોજના વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થઈ જશે. અગાઉ બેંકે જાહેરાત કરી હતી કે આ યોજના 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે.
એસબીઆઈ ખાતાધારકો માટે સારાં સમાચાર
બેંકે વરિષ્ઠ નાગરિકો માટે આ સ્કીમની અવધિ લંબાવી
વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ એફડી યોજના વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થઈ જશે
એસબીઆઈની આ નવી યોજનામાં 5 વર્ષ અથવા તેનાથી વધુ સમયની એફડી પર 30 બેસિસ પોઇન્ટનો વધારાનો પ્રીમિયમ વ્યાજ આપવામાં આવશે. આ યોજના ફક્ત 31 ડિસેમ્બર 2020 સુધી લાગુ રહેશે. આ યોજના હેઠળ રજિસ્ટર કરાવનારા ગ્રાહકોને જ લાભ મળશે.
કોણ રોકાણ કરી શકે છે
60 વર્ષ કે તેથી વધુની ઉંમરના વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરી શકે છે. આ યોજના 5 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે છે. જ્યારે યોજનામાં મહત્તમ ડિપોઝિટની રકમ 2 કરોડ રૂપિયાથી ઓછી છે. એસબીઆઇ વીકેયર ડિપોઝિટમાં મેચ્યોરિટી પહેલાં ઉપાડ પર કોઈ વધારાનું વ્યાજ ચૂકવવામાં આવતું નથી.
વરિષ્ઠ નાગરિકને 5 વર્ષથી ઓછાં સમયની રિટેલ ટર્મ ડિપોઝિટ પર સામાન્ય લોકો કરતા 0.50% વધુ વ્યાજ મળશે. 5 વર્ષથી વધુની રિટેલ ટર્મ ડિપોઝિટ પર 0.80% વ્યાજ મળશે, જેમાં વધારાના 0.30% નો સમાવેશ થાય છે. એસબીઆઈ વીકેયર ડિપોઝિટ યોજનાનો લાભ 31 ડિસેમ્બર 2020 સુધી મેળવી શકાય છે.