દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એટીએમથી રોક નિકળવાના નિયમોમાં કેટલાક મોટા ફેરફાર કર્યા છે. SBI એ રોકડ નિકાળવાની દૈનિક સીમામાં મોટો કાપ કરવાનો નિર્ણય કર્યો છે. SBI એ ગ્રાહક 31 ઓક્ટોબરથી એક દિવસમાં વધારેમાં વધારે 20 હજાર રૂપિયા રોકડ જ એટીએમથી નિકાળી શકશો. અત્યાર સુધી આ સીમા 40 હજાર રૂપિયા હતી.
SBI એ બ્રાન્ચોમાં આપેલા આદેશમાં કહ્યું છે કે એટીએમ ટ્રાન્ઝેક્શનમાં છેતરપિંડીના વધારાની ફરિયાદને જોતા અને ડિજીટલ કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી રોકડ નિકાળવાની મર્યાદા ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રોકડ નિકાસી સીમામાં કાપ ફેસ્ટિવલ સિઝન પહેલા થઇ હતી. સરકાર દ્વારા ડિજીટલ ટ્રાન્ઝેક્શન પર જોર આપવા છતાં કેશની ડિમાન્ડ વધારે બનેલી છે. કેટલાક અનુમાનો પ્રમાણે બજારમાં રોકડ ફ્લો નોટબંધીથી પહેલાના સ્તર સુધી પહોંચી ગયો છે.