એસબીઆઇના ખાતાધારકો માટે બેંકે એલર્ટ જાહેર કર્યું. પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવુ જરુરી
SBIએ જાહેર કર્યુ એલર્ટ
પાનકાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી
31માર્ચ 2022 છે અંતિમ દિવસ
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઇએ પોતાના ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યુ છે. આ અંગે ટ્વિટમાં બેંકે પોતાના ખાતાધારકોને જણાવ્યું કે 31 માર્ચ,2022 પહેલા પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરવા માટેની નોંધ લખી છે. બેંકે જણાવ્યું કે આ સમયગાળામાં જો તમે આમ નહી કરો તો ખાતાધારકોની બેંકિંગ સેવા બંધ થઇ જશે. જેના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવુ જરુરી
ઇનકમ ટેક્સ નિયમો અનુસાર પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવું હવે જરૂરી છે. આવી સ્થિતિમાં જો કોઇ પાનકાર્ડને આધારકાર્ડ સાથએ લિંક ન કરે તો તેનું પાનકાર્ડ અમાન્ય ગણાશે.એસબીઆઇએ ગ્રાહકોને થતી અસુવિધાથી બચાવવા માટે એલર્ટ જાહેર કરતા જણાવ્યું કે તેઓ પોતાનું પાન કાર્ડ અને આધારકાર્ડ લિંક કરી લો. જો એમ નહી કરવામાં આવે તો બેંક પાનકાર્ડ અમાન્ય ગણશે અને તમારી બેંકિંગ સેવા બંધ કરી દેશે. આથી 31 માર્ચ પહેલા આ કામ જરુરથી કરી લેવું. સામાન્ય રીતે પાન કાર્ડ અને આધાર કાર્ડ માટે લિંક કરવાની ડેડલાઇન પહેલા 30 સપ્ટેમ્બર 2021 હતી.. લોકોને સુવિધા આપવા માટે તે પછી સરકાર દ્વારા 31 માર્ચ 2022 સુધીની કરવામાં આવી હતી. જો તમે આ સમયગાળા દરમિયાન પાનકાર્ડ આધાર સાથે લિંક નહી કરાવો તો બેંકિંગ સેવાઓ ઠપ થઇ જશે.
આ રીતે પેનકાર્ડને આધાર સાથે કરો લિંક
https://www.incometaxindiaefiling.gov.in/home પર ક્લિક કરો.
અહીં તમને લિંક આધારનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.